બેદરકારી / ઐતિહાસિક ધરોહર માગે છે ભંડોળ! વારસાની જાળવણીમાં તંત્રના જોવા મળ્યાં ઠાગાઠૈયા

System negligence in grant allocated for development of Modhera Sun Temple

ઐતિહાસિક વિરાસત સમું મોઢેરાનું સૂર્યમંદિર આમ તો કેન્દ્ર સરકારના પુરાતત્વ વિભાગ હસ્તક છે. પણ આ પ્રવાસન સ્થળના બહારના ભાગનાં વિકાસની જવાબદારી રાજ્ય સરકારની છે. પરંતુ કમનસીબે ઐતિહાસિક વિરાસત છતાં મોઢેરા સૂર્યમંદિરના વિકાસ પરત્વે રાજ્ય અને કેદ્ર સરકારે ઉદાસીનતા જ દાખવી હોવાની વર્ષોથી ફરિયાદ ઊઠતી રહી છે. વિશ્વપ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિરના વિકાસ માટે ફાળવાયેલી ગ્રાન્ટમાંથી એક પણ પૈસો સરકાર ખર્ચી શકી નથી. વિધાનસભામાં ખુદ પ્રવાસન મંત્રીની આ કબૂલાતથી અનેક સવાલ ખડા થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ