દિલ્હી: સીરિયામાં વિદ્રોહીઓનો ગઢ ગણાતા પૂર્વીય ગોઉટાના દોઉમામાં હવાઈ હુમલા દરમિયાન અંદાજે 70 નાગરિકોના મોત થયા છે. આ સંદિગ્ધ રાસાયણિક હુમલામાં 11 લોકોને શ્વાસની તકલીફ પણ ઊભી થઈ છે. જેથી બચાવદળ બચાવ કામગીરીમાં લાગી ગયું છે.
તો મૃતકોની સંખ્યા વધે એવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે. દોઉમા પર કબજો મેળવનાર ઈસ્લામી જૂથ જૈશ-અલ-ઈસ્લામ સાથે રશિયાએ વાતચીત કરતા બોમ્બ હુમલા બંધ થઈ ગયા હતા અને લગભગ 10 દિવસ માટે સૈન્ય અભિયાનને પણ રોકી દેવાયું હતું.
બ્રિટન સ્થિત માનવ અધિકાર પર કાર્યરત સંસ્થા સીરીયન ઓબ્ઝરર્વેટિવ ફોર હ્યૂમન રાઈટ્સના જણાવ્યા અનુસાર આ અઠવાડિયે વાતચીતની પ્રક્રિયામાં વિઘ્નો આવતા ફરી હવાઈ હુમલો શરૂ થઈ ગયો. શનિવારે આવા જ હુમલામાં 30 નાગરિકો સહિત 8 બાળકો માર્યા ગયા હતા.સરકારી એજન્સી સનાએ એક અધિકારીક સૂત્રના હવાલાથી જણાવ્યું કે આતંકવાદીઓના ગઢમાં તેમની સામે લડવા માટે સેનાના અભિયાનમાં મોટી મુશ્કેલી ઉભી કરવાના સમાચાર મળી રહ્યાં છે.