વર્ષ 2020ના છેલ્લા મહિનામાં ડિસેમ્બરમાં કોરોનાના કેસ આવી રહ્યા છે અને અત્યાર સુધી લાખો લોકોના મોત થયા છે. કરોડો લોકો તેનો શિકાર બની ચૂક્યા છે અને સાથે અનેક નવી જાણકારી પણ સામે આવી છે. આ સંક્રમણની ઓળખ કરવા માટે એક નવું લક્ષણ ઉમેરાયું છે. સ્ટડીમાં દાવો કરાયો છે કે કોરોના વાયરસ માનવ શરીરના મસ્કુલોસ્કેલેટલ સિસ્ટમને પ્રભાવિત કરી શકે છે. તેનાથી દર્દ વધુ થાય છે અને માંસપેશીઓમાં દર્દ પણ કોરોનાનું લક્ષણ હોઈ શકે છે.
કોરોના સંક્રમણની ઓળખ કરવા માટે એક નવું લક્ષણ
માનવ શરીરના મસ્કુલોસ્કેલેટલ સિસ્ટમને પ્રભાવિત કરે છે
ચીનની લેબમાં કન્ફર્મ થયું નવું લક્ષણ
શું છે માયલજિયા
માયલજિયા કે માંસપેશીઓમાં દર્દ એક એવી સ્થિતિ છે જેમાં રોગીને લિગામેન્ટ્સ, ટેંડન્સ અને ફેસિયામાં દર્દ થાય છે. તેની મદદથી આપણા શરીરના સોફ્ટ ટિશ્યૂ મસલ્સ, બોન્સ અને ઓર્ગન સાથે જોડાયેલા રહે છે. ડબલ્યૂએચઓના રિપોર્ટ અનુસાર ચીનમાં કોરોનાના 55 924 કેસમાં 14.8 ટકા રોગીઓને આ તકલીફ જોવા મળી હતી.
આ લક્ષણો પણ ખાસ જોવા મળે છે
કોરોનાના સામાન્ય લક્ષણોથી જોડાનારી સંખ્યા હજુ પણ વધારે છે. પણ માયલજિયાની ફરિયાદ પણ મળી રહી છે. આ લક્ષણ શિયાળાની સીઝનમાં વધારે મળવાની આશંકા છે. જો કે હાલમાં તાવ, ખાંસી, ગળામાં ખરાશ, વહેતું નાક, હ્રદયમાં દર્દ અને શ્વાસ લેવાની સમસ્યામાં તકલીફ કોરોનાના મુખ્ય લક્ષણોમાંની એક છે.
સ્ટડીમાં કહેવાયું કે કેટલાક અન્ય લક્ષણો પણ છે જેની તરફ ધ્યાન અપાતું નથી. તેનાથી પેટમાં દર્દ, બ્રેન ફોગ અને કન્ફ્યુઝન, આઈ ઈન્ફેક્શન પણ સામેલ છે. અત્યાર સુધીમાં દુનિયામાં કોરોનાના 5,50,21,938 કેસ આવ્યા છે જેમાંથી 13,27,228 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 35,34,944 લોકો સાજા પણ થયા છે.