જામનગરમા ભાજપ અને કોંગ્રેસના પ્રતિકાત્મક કાર્યક્રમો, ભાજપના મૌન ધરણા સામે કોંગ્રેસેનો સદભાવના કાર્યક્રમ
જામનગરમાં ભાજપ અને કોંગ્રેસ સામસામે
PMની સુરક્ષામાં ચુક મામલે ભાજપના મૌન ધરણા
ગોડસેગાથા મુદ્દે કોંગ્રેસે ગાંધી પ્રતિમાની સફાઈ કરી
જામનગરમાં એક તરફ ભાજપ PMની સુરક્ષામાં ચુક મામલે ભાજપના મૌન ધરણા યોજી પંજાબ કોંગ્રેસ સામે વિરોધ પ્રદર્શન કરી રહી છે. તો બીજી તરફ શહેરમાં કોંગ્રેસ ગોડસેગાથા મુદ્દે સદભાવના કાર્યક્રમ યોજી રહી છે. જામનગરમાં હાલ રાજકીય ગરમાગરમી યથાવત છે. PMની સુરક્ષામાં ચુક મામલે ભાજપે કોંગ્રેસને સદબુદ્ધીના અર્પેના બેનર હેઠળ મૌન ધરણા કર્યા હતા જેમાં મોટી સખ્યાંમાં મનપાના શાસિત ભાજપ કાર્યકરો અને રાજકીય આગેવાનો જોડાયા હતા. જામનગરના સાંસદ પૂનમબેન માડમે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
જામનગરમાં ગોડસેગાથા મુદ્દે કોંગ્રેસ આકરા પાણીએ છે. કોંગ્રેસે ભાજપના વિરોધમાં સદભાવના કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં જામનગર શહેરના કોંગ્રસના મહિલા સહિતના નેતાઑ હાજરી આપી હતી. ગોડસેગાથા મુદ્દે કોંગ્રેસે ગાંધી પ્રતિમાની સફાઈ કરી વિરોધનો સૂર રેલવ્યો હતો.
પૂનમબેન માડમનું ટ્વિટ
પંજાબમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની મુલાકાત સમયે પંજાબની કોંગ્રેસ સરકારે તેમની સુરક્ષા જાળવવામાં બેજવાબદારી ભર્યું વર્તન કરેલ, જે અન્વયે આજરોજ ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા આયોજિત "કોંગ્રેસ - સદબુદ્ધિ મૌન ધરણામાં ઉપસ્થિત રહેલ.
પંજાબ માં આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi જીની મુલાકાત સમયે પંજાબની કોંગ્રેસ સરકારે તેમની સુરક્ષા જાળવવામાં બેજવાબદારી ભર્યું વર્તન કરેલ, જે અન્વયે આજરોજ ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા આયોજિત "કોંગ્રેસ - સદબુદ્ધિ મૌન ધરણા માં ઉપસ્થિત રહેલ. pic.twitter.com/KRLKtMlyeY
શું છે PMની સુરક્ષામાં ચૂકનો મામલો?
પંજાબ પ્રવાસે ગયેલા પ્રધાનમંત્રી મોદીની સુરક્ષામાં બુધવારે ગંભીર ચૂકની ઘટના બની હતી. પ્રધાનમંત્રી મોદીનો કાફલો જ્યારે ફિરોજપુરથી 30 કિમી દૂર હતો ત્યારે પ્રદર્શનકારીઓએ રસ્તાને બ્લોક કરી નાખ્યો હતો, આને કારણે પ્રધાનમંત્રી મોદીને લગભગ 20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાઈ રહેવું પડ્યું હતું. આ પછી પ્રધાનમંત્રીએ ફિરોજપુરની રેલી રદ કરી નાખી હતી અને દિલ્હી પાછા આવી ગયા હતા.
શું છે ગોડસેગાથા વિવાદ?
જામનગરમાં હિંદુ સેના દ્વારા નથુરામ ગોડસેની પુણ્યતિથિ નિમિત્તે ગોડસેની પ્રતિમા સ્થાપિત કરી ‘ન મરા થા, ન મરેગા, સદીઓ તક જિંદા રહેગા’ના નારા પોકારવામાં આવ્યા હતા.હિન્દુ સેનાએ વહીવટી તંત્ર પાસે પણ પ્રતિમા મુકવા જગ્યાની ફાળવણી માટે માંગણી કરી હતી.પરંતુ વહીવટી તંત્ર દ્વારા જગ્યા ન ફાળવતા ખાનગી આશ્રમમાં ગોડસેની પ્રતિમા મુકતા વિવાદ થયો હતો.વિવાદ સર્જાતા કોંગ્રેસના નેતાઓએ ગોડસેની પ્રમિતાને તોડી પાડી હતી. જામનગરમાં ગોડસે વાદ ભભૂકતો રાખી, પોતાના સ્વાર્થ સાધવા માગતા કેટલાક તત્વોએ હવે ઘરે-ઘરે જઇને 'ગોડસે ગાથા'નું આયોજન વિચાર્યું હતું. હિંદુ સેના નામક સંગઠને આ પૂર્વે ગોડસેની પ્રતિમા ખુલ્લી મુકી હતી. જો કે બાદમાં આ પ્રતિમાને કોંગ્રેસે તોડી નાખી હતી. હવે આ સંગઠનના હોદ્દેદારના ઘરે જ સૌથી પહેલા ગોડસેનું મહિમામંડન કરશે. ત્યારે સવાલ ઉઠી રહ્યાં છે કે ગાંધીના ગુજરાતમાં ગોડસેની ગાથા કેમ?. હત્યારાનું મહિમામંડન કેમ ચલાવી લેવાય?