રાજકોટઃ રાજ્યભરમાં સ્વાઈન ફ્લૂએ આતંક મચાવ્યો છે. રાજકોટમાં સ્વાઇન ફ્લૂ સામે આરોગ્ય તંત્ર લાચાર જણાઇ રહ્યુ છે. સ્વાઇન ફ્લૂએ એક દિવસમાં 3 મહિલાઓના ભોગ લીધો છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધી કુલ 27 લોકોના મોત થયા છે. હાલમાં 13થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે.
જામનગરની મહિલાનુ સારવાર દરમિયાન મોત
શહેરમાં સ્વાઈન ફ્લૂના કારણે વધુ એક મહિલાનુ મોત થયુ છે. જામનગરની મહિલાનુ સારવાર દરમિયાન મોત થયુ છે. મહિલાનુ મોત થતા રાજકોટમાં ફ્લૂથી મોતનો આંકડો 27એ પહોંચ્યો છે. હજી પણ શહેરમાં ફ્લૂના 13થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે.
ગોંડલની 65 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકોટની યુવતીનો સ્વાઇન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકોટમાં સીઝનના કુલ 115 કેસ નોંધાયા હતા. 14 દર્દી ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હાલ સ્વાઈન ફ્લુનો ભરડો થયો છે.
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક યુવકનું મોત નિપજ્યું હતું. યુવક મોરબીના અમરાપરા ગામનો રહેવાસી હતો. ચાલુ વર્ષે સ્વાઈન ફ્લૂના કારણે 27 દર્દીના મોત નિપજ્યા છે. જ્યારે ચાલુ વર્ષે કુલ 115 જેટલા સ્વાઈન ફ્લૂના કેસ નોંધાયા છે.
સુરતમાં સ્વાઈન ફ્લૂનો કહેર યથાવત્
સુરતમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત જોવા મળ્યો હતો. વધુ 1 દર્દીનો સ્વાઇન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યાર સુધી કુલ 115 દર્દી નોંધાયા છે. હાલ 4 દર્દી વેન્ટીલેટર પર છે. 2 દર્દીઓને ઓક્સિજન સપોર્ટ પર સારવાર અપાઇ રહી છે. હાલ કુલ 20 દર્દીઓ સારવાર હેઠળ છે. સુરતમાં સ્વાઇન ફ્લૂથી કુલ 3 દર્દીના મોત થયા છે.