ભાવનગરમાં સ્વાઈન ફ્લૂનો કહેર યથાવત્ છે. ત્યારે હવે જિલ્લામાંથી ફ્લૂના વધુ 2 શંકાસ્પદ કેસ મળી આવ્યા છે. આ સાથે જ 2 દર્દીઓના રિપોર્ટ આવવાના બાકી છે. મળતી માહિતી મુજબ ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ફ્લૂના 47 પોઝિટીવ કેસ નોંધાયા.
જેમાથી 12 લોકોના મોત થયા છે. હાલમાં 18 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. ત્યારે હવે જિલ્લામાંથી વધુ 2 શંકાસ્પદ કેસ મળી આવ્યા છે. ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફલૂને લઈને ખાસ એક વિભાગ તૈયાર કરવામાં આવ્યો છે. આ વિભાગમાં 70 જેટલા બેડોની સુવિધા ઉભી કરવામાં આવી છે.
સ્વાઇન ફ્લૂથી બચવાનાં ઉપાયઃ
સ્વાઈન ફ્લૂને અટકાવવા અને તેની અસરથી બચવામાટે એલોપેથીમાં પણ કેટલીક દવાઓ છે જેનું યોગ્ય માત્રમાં સેવન કરવામાં આવે તો રાહત થાય છે. હોમીઓપેથીની વાત કરીએ તો તેમાં પણ સ્વાઇન ફ્લૂને અટકાવવા અક્સીર દવા હોવાનું તજજ્ઞો જણાવી રહ્યાં છે. હોમીઓપથીમાં NAT 30 mg Belladonna 30 BRYONIA ALBA Gelsemium 30 વગેરે જેવી દવા ડોક્ટરની સુચના મુજબ લેવાથી આ રોગ મટે છે અથવા તેનો ચેપ લાગતો નથી.
સ્વાઇન ફ્લૂ અટકાવવા આજના તબીબવિજ્ઞાનમાં એલોપથીની ટેમી ફ્લૂ દવા આપે છે. જે બધા ફ્લૂના તાવ માટેની દવા છે. પરંતુ તેનો અકસીર ઇલાજ શોધાયો નથી. સ્વાઇન ફ્લૂ રોગનું આયુર્વેદની દ્રષ્ટિ એ નામ વાતશ્લેસમક જ્વર છે. તેના અકસિર ઇલાજ માટે તુલસી મધનું સેવન અકસીર છે કેમ કે તે વધારાના કફને દૂર કરે છે. તો આદુ તુલસી સૂંઠવાળી ચા પણ સ્વાઇન ફ્લુમાં રક્ષણ આપનારી છે.
એવી જ રીતે ત્રિકટુ ચૂર્ણ સિતોપલાદી ચૂર્ણ ભોજન્તીભસ્મ વગેરે મધ સાથે લેવાથી નવજીવન રસ દશમૂળ કવાથ ગુરુત્યાદી ક્વાથ લેવાથી ચોક્કસ રાહત થાય છે અને સ્વાઇન ફ્લૂના ચેપથી પણ બચી શકાતું હોવાનું આયુર્વેદાચાર્યોએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ રોગ દિવસેને દિવસે વધતો જાય છે ત્યારે ગુજરાત આખું ખુબ ચિંતામાં મુકાઈ ગયું છે. આ બીમારી અટકાવના પ્રયોગ પણ થઇ રહ્યા છે. સરકાર દવારા સરકારી અને ખાનગી દવાખાનામ આઇસોલેશન વિભાગ પણ બનાવમાં આવ્યા છે જ્યાં સ્વાઈન ફ્લૂના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે ત્યારે ઉપર જણાવેલ દવાનો ઉપયોગ ડોક્ટરની યોગ્ય સલાહ દ્વારા કરવામાં આવે તો ચોક્કસ આ બીમારી માંથી મુક્ત થઇ શકાય છે અથવા તેનો ચેપ પણ લાગતો નથી.