ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાં કીટનાશક દવાને છાંટતી વખતે એક સફાઇ કર્મચારી બિમાર થઇ ગયો, જે પછી હોસ્પિટલમાં તેની મૃત્યુ થઇ. તો બીજી તરફ પોલીસ કર્મચારીઓએ અંતિમ સંસ્કાર પહેલા તેની લાશને સેલ્યૂટ કર્યુ, તો જિલ્લા પ્રશાસન અધિકારીઓનો વ્યવહાર ચોંકાવાનારો હતો.
કોરોના વાયરસના ભયની વચ્ચે કીટનાસક દવા છાંટી રહેલા સફાઇ કર્મચારીનું મૃત્યુ
કોરોના વાયરસના ભયની વચ્ચે જ્યાં કર્મવીર લોકોની મદદ કરવામાં લાગ્યા છે, ત્યાં કેટલાક સરકારી અધિકારીઓનો વ્યવહાર ચોંકાવનારો છે.
ફતેહપુર જિલ્લા હથગામ બ્લોકના આલીમઉ ગામમાં રહેનારા સંદીપ વાલ્મીકિ કૌશંબીના સિરાથૂ નગર પંચાયતમાં સફાઇ મજૂર તરીકે કામ કરતો હતો. ગત 23 માર્ચના કોરોના વાયરસ જેવી મહામારીથીસ સામાન્ય લોકોની બચાવવા માટે જરૂરી સંસાધનોના અભાવથી કીટનાશક દવાઓનું છંટકાવ કરી રહ્યા હતો. સંદીપની સાથે કામ કરતા મજૂરોનો દાવો છે કે, દવાનો ગેસ શ્વાસ સુધી તેના શરીરમાં પ્રવેશ કરી ગયો અને તે છંટકાવ કરતા જ પડી ગયો. સંદીપને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો જ્યાં તેની મૃત્યુ થઇ.
સંદીપની લાશ જ્યારે ગામમાં પહોંચી ત્યારે પોલીસ કર્મચારી સહિત લોકોએ તેણે સેલ્યૂટ કરી, સંદીપના પરિવારમાં તેની પત્ની અને બે બાળકો છે. સિરાથૂ નગર પંચાયતના અધ્યક્ષ ભોલા યાદવ અનુસાર, સંદીપના પરિવારને આર્થિક મદદ તરીકે 50000 રૂપિયા આપવામાં આવશે પરંતુ શાસન તરફથી કોઇ મદદ મળશે કે તેની કોઇ પુષ્ટિ ના કરી શકાય. તો બીજી તરફ સિરાથૂના એસડીએમ રાજેશ શ્રીવાસ્તવની સાથે વાત કરવામાં આવી ત્યારે તેમનો વ્યવહાર ગેરજવાબદારી ભર્યો હતો. તેણે સ્પષ્ટ કહ્યુ કે, ''આ બાબતો માટે તેમની પાસે સમય નથી. અમે કોરોનામાં બિઝી છીએ, ફાલતૂની બાબતો માટે સમય નથી.''
બીજી તરફ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે સંદીપના પરિવારને આર્થિક મદદ કરવાની માંગ કરી છે. એબીવીપીના રાષ્ટ્રીય મંત્રી અનુસાર, ''સંદીપ પોતાના છાત્ર જીવનમાં પરિષદનો કાર્યકર્તા હતો. પરિવારની જરૂરિયાત પૂરી કરવા માટે તે કામ કરતો હતો. સામાન્ય લોકો માટે કામ કરતા સંદીપની મોત થઇ છે. દેશ અને પ્રદેશની સરકાર સંદીપના પરિવારને 1 કરોડ રૂપિયાની આર્થિક સહાયતા આપે. આ સરકારી કર્મચારીઓ આપણા માટે કામ કરે છે તેમની ચિંતા કરવી સરકારની જવાબદારી છે.''