એક્ટ્રેસ સ્વરા ભાસ્કર સિવાય પત્રકાર આરફા ખાનમ શેરવાની, આસિફ ખાન અને ટ્વિટર ઇન્ડિયાના મનીષ મહેશ્વરી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. જે બાદ સ્વરા ભાસ્કર સતત એક્ટિવ દેખાઇ રહી છે. હાલમાં જ સ્વરાએ પોતાનો બચાવ કરતા ટ્વિટ કરી છે.
સ્વરા અને અન્ય વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદમાં વકીલ અમિત આચાર્યએ દિલ્હીના તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દિલ્હી પોલીસે આ મામલે તપાસ પણ શરૂ કરી દીધી હતી. સ્વરા પોતાના ઘરના રિનોવેશન બાદ ઘરમાં શિફ્ટ થવાની તૈયારી કરી રહી છે ત્યારે તેણે સવારે ટ્વિટ કર્યુ હતુ.
It’s 5:40am.. I’ve literally cooked Maggie surreptitiously in the dark, and am now eating it out of the same bartan sitting on the floor. The future does not look bright! 😬😬🤣🤣 #insomniapic.twitter.com/MauTspjSBm
સ્વરાએ કહ્યું કે, અત્યારે સવારના 5.40 વાગી રહયા છે. મે અંધારામાં મેગી બનાવી અને હવે હું તે જ વાસણમાં જમીન પર બેસીને મેગી ખાઇ રહી છુ, મને મારુ ભવિષ્ય ઉજ્જવળ નથી દેખાઇ રહ્યું.
તમને જણાવી દઇએ કે, આ પહેલા ઉત્તર પ્રદેશ પોલીસે સોશ્યલ મિડીયા દ્વારા એક વીડિયો પ્રસારિત કરવા મુદ્દે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર, એક સમાચાર પોર્ટલ અને 6 લોકો વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. આ વીડિયોમાં એક વૃદ્ધ મુસલમાન ગાઝીયાબાદમાં કેટલાક લોકોના કથિત હુમલા બાદ પોતાની વ્યથા કહેતા દેખાઇ રહ્યાં છે. પોલીસે કહ્યું કે આ વીડિયો સાંપ્રદાયિક તણાવ પેદા કરવા માટે શૅર કરવામાં આવ્યો હતો.
Agree. I can believe a bunch of Muslims beat up an old Muslim man, but forced him to chant #JaiShriRam & cut off his beard?! That really the whole story? Anyway.. Love how Sanghis r conveniently ignoring the prime accused that Pravesh who beat the old man & forced him to chant! https://t.co/wv4XQFSRuj
શું છે સમગ્ર મામલો
સોશ્યલ મિડીયા પર 14 જૂનના રોજ સામે આવેલા એક વીડિયોમાં વૃદ્ધ વ્યક્તિ અબ્દુલ સમદ સૈફીએ આરોપ લગાવ્યો કે કેટલાક યુવકોએ તેની પિટાઇ કરી અને જય શ્રી રામના જબરજસ્તી નારા લગાવવા માટે કહેવામાં આવ્યુ હતુ. ગાઝીયાબાદ પોલીસે આ સાંપ્રદાયિક મામલો હોવાથી ઇન્કાર કરી દીધો હતો અને આરોપીઓ સૈફીથી નાખુશ હતા કારણકે સૈફીએ તેમને કોઇ તાવિજ આપ્યુ હતુ. પોલીસે સૈફી પર હુમલો કરવાના આરોપમાં ત્રણ લોકોને એરેસ્ટ કર્યા છે.