લૉકડાઉન દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સિરીઝ ઓફ ઇન્ટરેક્શન શરૂ કરી છે. જેમાં તે અલગ અલગ મુદ્દા પર કોઇ એક્સપર્ટ સાથે વાત કરે છે. તેમની આ સિરીઝ પર સ્વરા ભાસ્કરે ટ્વિટ કરી છે, જે સોશિયલ મિડીયા પર ખૂબ વાઇરલ થઇ રહી છે. સ્વરાએ લખ્યુ છે કે, રાહુલ ગાંધીની આ સિરીઝને લોકો નફરત કેમ કરે છે.
રાહુલ ગાંધીના પક્ષમાં બોલી સ્વરા
સ્વરાએ કરી અપીલ
આ ટ્વિટે લોકોનુ ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. ભારતના લોકો સ્વરાની ટ્વિટ પર કમેન્ટ કરી રહ્યા છે. તેણે કહ્યું છે કે, રાહુલના આ શૉ પર લોકો નફરત કેમ વરસાવી રહ્યા છે. તમને જણાવી દઇએ કે રાહુલે હાલમાં જ પોતાના શૉમાં બજાજ ઓટોના MD રાજીવ બજાજ સાથે વાતચીત કરી છે.
Why r people on Twitter hating on @RahulGandhi ‘s series of interactions with experts of different fields. They are informative & provide relevant perspectives on current crises & situations. As for politics- I think it’s a pretty ace opposition move- a politician who listens! 🤓
સ્વરા ભાસ્કર એક્ટિંગ સિવાય પોતાના વિચારો માટે પણ ઓળખાય છે. સ્વરા જલ્દી જ તેના આગામી પ્રોજેક્ટ શીર કોરમામાં નજર આવશે, જેમાં તેની સાથે દિવ્યા દત્તા પણ સ્ક્રિન શૅર કરશે. આ સિવાય હાલમાં સ્વરા પ્રવાસી મજૂરોને તેમના ઘરે પહોંચાડવામાં મદદ કરી રહી છે. સોનૂ સૂદ બાદ સ્વરાએ આ કામ પોતાના માથે લીધુ છે.
સ્વરા ભારતની લોકપ્રિય અભિનેત્રી છે. તે પાકિસ્તાની ટૉક શૉમાં પણ નજર આવી ચૂકી છે. તેના અવાજના કારણે સ્વરા ખૂબ પોપ્યુલર છે.