બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરને લોકો ફરી એકવાર સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરી રહ્યાં છે. બે વર્ષ પહેલાં ફિલ્મ વીરે દી વેડિંગમાં જોવા મળેલી સ્વરા ભલે બોલિવૂડમાં કંઈ ખાસ કમાલ દેખાડી શકી નથી પરંતુ હાલ તે ભારત સરકાર વિરૂદ્ધ સતત તેનો રોષ જાહેર કરીને અમુક લોકોના મનમાં જગ્યા બનાવવાની કોશિશમાં લાગેલી છે. NPR (નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર) અને NRC (નેશનલ રજિસ્ટર ઓફ સીટીઝન)ના વિરોધમાં સ્વરા અવાર-નવાર લોકોની વચ્ચે ડાયલોગબાજી કરતાં જોવા મળી રહી છે.
હાલમાં જ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે NPR અને NRCને લઈને એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું હતું કે, NPR અને NRC હેઠળ જનતાને પોતાની નાગરિકતા સાબિત કરવાનું કહેવામાં આવશે. 90 ટકા લોકો પાસે આ વાત સાબિત કરવા માટે કોઈ સરકારી જન્મ પ્રમાણપત્ર નથી. શું બધાંને ડિટેન્શન સેન્ટર મોકલામાં આવશે? અત્યારે બધાંને આ વાતનો ડર છે.
Masterstroke arguments by @ArvindKejriwal sir ! He points out clearly that CAA-NRC-NPR are linked and the whole project is going to be not only Anti Muslim but anti people! 👏🏽👏🏽👏🏽👏🏽👏🏽 https://t.co/VYBHGPEYjQ
કેજરીવાલના ટ્વિટ પર રિટ્વિટ કરતાં સ્વરાએ સીએમ કેજરીવાલના વખાણ કર્યા, જે બાદ લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. એક યુઝરે લખ્યું, આવી ગઈ નાગિન ઝેર ઓકવા માટે.
Masterstroke arguments by @ArvindKejriwal sir ! He points out clearly that CAA-NRC-NPR are linked and the whole project is going to be not only Anti Muslim but anti people! 👏🏽👏🏽👏🏽👏🏽👏🏽 https://t.co/VYBHGPEYjQ
તો બીજા યુઝરે લખ્યું, પબ્લિકનું તો ખબર નહીં પણ તારા વિરૂદ્ધ તો જરૂર છે આંટી. ઉલ્લેખનીય છે કે, 9 વર્ષના બોલિવૂડ કરિયરમાં સ્વરાએ એક પણ ફિલ્મ પોતાના દમ પર આપી નથી, જેનાથી તેનું નામ થયું હોય. તે લગભગ તેની તમામ ફિલ્મોમાં એક કો-એક્ટર તરીકે જ જોવા મળી છે. જેથી તે ચર્ચામાં રહેવા માટે અવાર-નવાર વિવાદિત ટ્વિટ કરતી રહે છે.