મુંબઇ: પોતાના વિવાદાસ્પદ નિવેદનોના કારણે લોકોના ટાર્ગેટમાં બની રહેલી બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે થોડાક દિવસો માટે પોતાનું ટ્વિટર હેન્ડલ ડિએક્ટિવેટ કરી દીધું છે. આ વાતને લઇને એના ચાહકોમાં સતત એ પ્રશ્ન થઇ રહ્યો છે કે સ્વરાએ આવું શું કામ કર્યું? હવે સ્વરાએ આ વાતનો જવાબ આપ્યો છે અને જણાવ્યું કે તે હાલમાં 'ડિજીટલ ડિટોક્સ' એટલે કે ઇન્ટરનેટની લતથી મુક્તિ પર કામ કરી રહી છે.
જણાવીએ કે ફિલ્મ 'અનારકલી ઓફ આરા'ની હીરોઇન સ્વરા ભાસ્કરનું જ્યારે ટ્વિટર હેન્ડલ સર્ચ કરવામાં આવી રહ્યું છે તો એના વેરિફાઇડ અકાઉન્ટનું રિઝલ્ટ દેખાઇ રહ્યું નથી. એને જ્યારે એક મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું તો એને કહ્યું કે એ યૂરોપ વેકેશન માણવા જઇ રહી છે અને જ્યારે ઘરે પાછી આવશે ત્યારે જ એ ટ્વિટર પર વાપસી કરશે. વાતચીત દરમિયાન એને એવું પણ કહ્યું 'મેં ટ્વિટર ડિએક્ટિવેટ કરી દીધું છે. આવતા સપ્તાહે જ્યારે ભારત આવીશ ત્યારે વાપસી કરીશ.'
સ્વરાએ જણાવ્યું કે 'હું મારી રજાઓને એન્જોય કરી શકતી નહતી અને આખો દિવસ એવું જ જોતી હતી કે ભારતમાં શું થઇ રહ્યું છે. મને લાગ્યું કે હું ટ્વિટરની એડિક્ટ થઇ રહી છું.' આવું કરવાથી ભાસ્કર માટે એવું માનવામાં આવી રહ્યું છે કે એ સતત ટ્રોલ થવાના ડરથી ટ્વિટરથી દૂર ભાગી રહી છે. જો કે સ્વરાએ આ બાબતે જણાવ્યું કે એના આપેલા જવાબ ઉપરાંત કહેવામાં આવી રહેલી વાતો માત્ર અફવાઓ છે.
સ્વરાએ આ પહેલા એક નહીં પરંતુ એક વખતમાં 8 ટ્વિટ કર્યા હતા. પોતાના આ ટ્વિટથી એને દેશમાં ફેલાયેલા ભ્રષ્ટાચાર મોબલિન્ચિંગ જાતિવાદ અને સમુદાયવાદ મુદ્દાને ઊઠાવ્યો હતો. આ ગંભીર મુદ્દાને હાઇલાઇટ કરવા માટે એને #ButLiberalsAreFanatics અને #SadhguruSays હેશટેગનો સહારો લીધો.