રાજકોટમાં સ્વાઈન ફ્લૂના કહેરમાં વધુ એક મહિલાનો ભોગ લેવાયો. સ્વાઈન ફ્લૂના કારણે મોરબીની 30 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે. આ મહિલા છેલ્લા એક અઠવાડિયાથી વેન્ટિલેટર પર હતી અને સારવાર ચાલુ હતી. તો હજુ પણ ચાર દર્દી સ્વાઈન ફ્લૂ વોર્ડમાં સારવાર હેઠળ છે.
આપને જણાવી દઇએ કે અત્યાર સુધીમાં કુલ 155 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 41 લોકોનાં મોત થયા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયગાળાથી સ્વાઇન ફ્લૂએ ગુજરાતભરમાં કહેર વરસાવ્યો છે.
સ્વાઇન ફ્લૂ અટકાવવા માટે શું કરશો..?
સ્વાઇન ફ્લૂ અટકાવવા આજના તબીબવિજ્ઞાનમાં એલોપથીની ટેમી ફ્લૂ દવા આપે છે. જે બધા ફ્લૂના તાવ માટેની દવા છે. પરંતુ તેનો અકસીર ઇલાજ શોધાયો નથી. સ્વાઇન ફ્લૂ રોગનું આયુર્વેદની દ્રષ્ટિ એ નામ વાતશ્લેસમક જ્વર છે. તેના અકસિર ઇલાજ માટે તુલસી મધનું સેવન અકસીર છે.
કેમ કે તે વધારાના કફને દૂર કરે છે. તો આદુ તુલસી સૂંઠવાળી ચા પણ સ્વાઇન ફ્લુમાં રક્ષણ આપનારી છે. એવી જ રીતે ત્રિકટુ ચૂર્ણ સિતોપલાદી ચૂર્ણ ભોજન્તીભસ્મ વગેરે મધ સાથે લેવાથી નવજીવન રસ દશમૂળ કવાથ ગુરુત્યાદી ક્વાથ લેવાથી ચોક્કસ રાહત થાય છે.