ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં દેવ પક્ષ-આચાર્ય પક્ષ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે જેમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસોઓ આક્ષેપો પ્રતિ આક્ષેપો અને સવાલો થઈ રહ્યા છે.
ગઢડા સ્વામિનારાયણ મંદિર વિવાદનો મામલો
દેવ પક્ષ-આચાર્ય પક્ષ વચ્ચે છે વિવાદ
સમગ્ર મામલે વડતાલ આચાર્ય રાકેશ પ્રસાદ વિવાદમાં
ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં દેવ પક્ષ-આચાર્ય પક્ષ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. સમગ્ર મામલે વડતાલ આચાર્ય રાકેશ પ્રસાદ વિવાદમાં આવ્યા છે. રાકેશ પ્રસાદે આચાર્ય પક્ષના રમેશ ભગતને નોટિસ આપી છે.
રાકેશ પ્રસાદે નોટિસમાં કહ્યું કે તમારું વર્તન યોગ્ય નથી. રાકેશ પ્રસાદની રમેશ ભગતને સંપ્રદાયમાંથી દૂર કરવાની ધમકી આપી રહ્યાં છે. SP સ્વામીએ આચાર્ય રાકેશપ્રસાદને સવાલો કર્યા છે. સાથે જ નવા CCTV ફૂટેજ પણ SP સ્વામીએ જાહેર કર્યા છે. SP સ્વામીએ કહ્યું કે પુરાવા નાશ કરવાની વાત DySP-દેવ પક્ષના ભાનુપ્રકાસ સ્વામી કરે છે.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક કેસો બન્યા છે. ડમી નોટો પકડાય છે તેમને કેમ નોટિસ આપતા નથી. સૃષ્ટિ વિરુદ્ધ કૃત્યોના સંતો પર આક્ષેપ થાય છે. અમે આવી નોટિસોથી ડરવાના નથી. નોટિસોનો અમે જવાબ આપીશું.
6 ડિસેમ્બરે થયેલી બબાલનો વધુ એક વીડિયો આવ્યો સામે
ગઢડા ગોપીનાથ મંદિર વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે 6 ડિસેમ્બરે થયેલી બબાલનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આચાર્ય પક્ષના સંતોને હટાવ્યા બાદના CCTV ફૂટેજ સામે આવ્યા છે. હરિજીવન સ્વામી અને DySP રાજદિપસિંહ નકુમના વીડિયો સામે આવ્યા છે. જેમાં નકુમ સંતોને CCTV ફૂટેજ ડિલિટ કરવા સૂચના આપી રહ્યાં છે. હરિજીવન સ્વામી DySP નકુમના કૃત્યને એરસ્ટ્રાઇક ગણાવી રહ્યાં છે. DySP નકુમે આચાર્ય પક્ષના સંતોને માર માર્યો હતો. ટ્રસ્ટની બેઠકમાં જઇ ગાળાગાળી કરી હતી.