સ્વામિનારાયણ સંપ્રદાયે ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને દુનિયાભરમાં આવેલા પોતાના મંદિરોને આગામી આદેશ સુધી નિયમિત પ્રવૃત્તિઓ માટે બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જેથી સ્વયંસેવકો, શ્રદ્ધાળુઓ અને સ્થાનિક સમુદાયોના સ્વાસ્થ્યની રક્ષા કરી શકાય.
અમેરિકામાં પણ કોરોના વાયરસથી 41ના મોત
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) કોરોના વાયરસને મહામારી જાહેર કરી ચૂક્યું છે. જેનાથી અત્યાર સુધી 5000થી વધુ લોકોની મોત થઈ ચૂકી છે જ્યારે ભારતમાં 2 લોકોની મોત થઈ છે. અમેરિકામાં 41 લોકોના મોત થવાના સમાચાર છે. આ ઉપરાંત દુનિયાભરમાં 1.34,000થી વધુ લોકો સંક્રમિત થાય છે. બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ (BAPS) સ્વામિનારાયણ સંસ્થાએ જણાવ્યું કે અમેરિકા, કેનેડા, યુરોપ અને ઑસ્ટ્રેલિયા સ્થિત પોતાના મંદિરો બંધ કરી દેવાય છે અને ભારત તેમ જ આફ્રિકા સ્થિત મંદિરોને લગભગ એક સપ્તાહમાં બંધ કરવામાં આવશે.
અમેરિકામાં સ્વામિનારાયણ સંસ્થાના લગભગ 100 મંદિર
BAPS સ્વામિનારાયણ સંસ્થાના અમેરિકામાં લગભગ 100 મંદિર છે. બીએપીએસ સ્વયંસેવકના માધ્યમથી ચાલનારું સંગઠન છે જેનો ઉદ્દેશ હિુંદુ વિચારો અને આસ્થા, એકતા અને નિસ્વાર્થ સેવા દ્વારા વ્યક્તિનો વિકાસ કરી સમાજમાં સુધારો લાવવાનો છે. BAPS એ એક પ્રેસનોટ માં કહ્યું કે મોટી સભાઓથી બચવા માટે પૂરી દુનિયામાં BAPS મંદિર બંધ રહેશે, પરંતુ શ્રદ્ધાળું પ્રત્યેક મંદિરની વેબસાઈટના માધ્યમથી દૈનિક દર્શન કરી શકશે.
આધ્યામિત્ક માર્ગદર્શન ચાલુ રહેશે
પ્રેસનોટમાં કહેવાયું છે કે BAPS દુનિયાભરના શ્રદ્ધાળુઓ અને હિંદુઓને આધ્યાત્મિક માર્ગદર્શન આપવાનું ચાલુ રાખશે જેથી તેમની આસ્થા અને આધ્યાત્ને જીવંત રાખી શકે.