જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરની ચૂંટણીના પરિણામો મોડી સાંજે જાહેર થયા હતા. કુલ સાત બેઠકોમાંથી 5 બેઠક પર આચાર્ય પક્ષનો વિજય થયો હતો. જ્યારે સંત વિભાગની બે બેઠકો પર દેવપક્ષની જીત થઈ છે.
સંત વિભાગના કોઠારી દેવનંદન સ્વામી અને પ્રેમ સ્વરૂપ સ્વામીની જીત થઈ છે. ગૃહસ્થ વિભાગમાં આચાર્ય પક્ષના ચારેય ઉમેદવારનો વિજય થયો હતો. જેમાં જાદવ ચાવડા, મગન સભાયા, નંદલાલ બામટા, રતીભાઇ ભાલોડિયાનો સમાવેશ થાય છે. આ સાથે જ સ્વામિનારાયણ મંદિરમાં સત્તામાં પુનરાવર્તન થયું હતુ.
મહત્વનુ છે કે, રવિવારે જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરમાં ચૂંટણી યોજાઈ હતી. પાર્ષદ વિભાગ, સંત વિભાગ અને હરિભક્ત વિભાગની ચૂંટણી યોજાઈ હતી. રવિવારે યોજાયેલી ચૂંટણીના આજે પરિણામ જાહેર થયા છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 13, 2019
ત્યારે સ્વામિનારાયણ મંદિર પર નજર કરીએ તો વડતાલમાં આવેલું સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય મંદિર જ્યાં દેવપક્ષનું શાસન છે. તો તાજેતરમાં ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં ચૂંટણી યોજાઈ હતી. ત્યાં પણ દેવપક્ષનો વિજય થયો હતો. ગઢડામાં દેવપક્ષના 4 ઉમેદવારોની પેનલની જીત થઈ હતી. તો આચાર્ય પક્ષની હાર થઈ હતી.
મીડિયા અને પોલીસ વચ્ચે સર્જાયા હતા ઘર્ષણના દ્રશ્યો
જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરની ચૂંટણી પૂર્ણ તો થઈ પણ દેવપક્ષ અને આચાર્યપક્ષના હરિભક્તો વચ્ચે બબાલ સર્જાઈ. દેવપક્ષ અને આચાર્યપક્ષના લોકોએ એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કર્યાં. દેવપક્ષના સ્વામીએ નિવેદન આપ્યું ત્યારે આ બબાલ સર્જાઈ છે. દેવપક્ષના ભક્તિપ્રસાદ સ્વામિએ મંદિર ચૂંટણીપંચ પર કર્યા આક્ષેપ કર્યા હતા.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 13, 2019
જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરની ચૂંટણી પૂર્ણ થતાં જ દેવપક્ષ અને આચાર્યપક્ષના હરિભક્તો વચ્ચે બબાલ સર્જાઈ હતી. આ પરિસ્થિતીને થાળે પાડવા માટે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.