મોરારી બાપુ દ્વારા નીલકંઠવર્ણી પર કરાયેલા નિવેદન પરનો વિવાદનો હજી અંત આવ્યો નથી. સ્વામિનારાયણ સંપ્રદાય અને મોરારી બાપુના સમર્થનમાં આવેલા સંતોનો એકબીજા પર વાર-પલટવારનો સિલસિલો હજુ યથાવત છે. ગઈ કાલે અમદાવાદના જગન્નાથ મંદિર નજીક મળેલી સનાતન ધર્મી સાધુઓની બેઠકમાં નિર્મોહી અખાડાએ માંગ કરી હતી કે જ્યાં સુધી સ્વામી. સંપ્રદાયના સંતો દંડવત કરી મોરારી બાપૂની માફી નહીં માંગે ત્યાં સુધી બહિષ્કાર કરાશે.
મોરારી બાપુની માફી બાદ હવે સ્વામીનરાયણ સંપ્રદાયના સાધુઓ માફી માંગે તેવી માંગ
અમદાવાદનાં સાધુ સંતોએ બેઠક કરીને લીધો નિર્ણય
સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓએ કલાકારો પર ટિપ્પણીથી વિવાદ વકર્યો
નિર્મોહી અખાડા દ્વારા સાધુઓના બહિષ્કારનું એલાન
અમદાવાદમાં સાધુ સમાજની બેઠક મળી
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા કરાયેલા નિવેદનોથી ગુસ્સે થયેલા સાધુ સંતોએ બેઠક બોલાવી હતી અને તેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના વિવેકસ્વામી, વિવેકસ્વરૂપ સ્વામી અને નિત્યસ્વરૂપ સ્વામી જ્યાં સુધી મોરારી બાપુની લેખિત માફી ન માંગે અને દંડવત પ્રણામ નહીં કરે ત્યાં સુધી તેમના બહિષ્કારનો નિર્ણય લેવાયો છે. નોંધનીય છે કે સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ દ્વારા કલાકારો દારૂ પીવે છે તેવો આક્ષેપ કરાયા બાદ જગન્નાથજીના મંદિર નજીક અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રવક્તા અને શ્રીપંચ નિર્મોહી અન્ય અખાડાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહંત રાજેન્દ્રદાસજીએ બેઠક બોલાવી હતી. અને સ્વામીનરાયણ સંપ્રદાયના સંત દ્વારા કરાયેલ નિવેદનોનો વિરોધ નોંધાવ્યો. તથા બીજા કલાકારોને સ્વામીનરાયણ સંપ્રદાયનો ખુલીને વિરોધ કરવા અપીલ કરી હતી.
સરધાર સ્વામિ. મંદિરને 17 કલાકારોએ રત્નાકર એવોર્ડ પરત કર્યા
રામકથાકાર મોરારી બાપુના નીલકંઠ નિવેદન બાદ ઘણા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ મોરારી બાપુનો વિરોધ પોકાર્યો અને નિવેદનો કર્યા હતા જેમાં કલાકોરોને પણ છોડવામાં આવ્યા નહોતા અને તેમણે દારૂ પીને આવે છે એમ કહ્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયના સંત દ્વારા કરવામાં આવેલા નિવેદન બાદ કલાકરો ખુલીને મેદાનમાં આવ્યા હતા અને આ નિવેદનને વખોડી નાખ્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા કલાકારોને એનાયત કરાયેલા એવોર્ડ પરત કરાયા હતા.