ગઢડા સ્વામિનારાયણ મંદિરની ચૂંટણીની આજે મતગણતરી યોજાઇ હતી. જેમાં મતગણતરીના 4 રાઉન્ડ બાદ અંતે દેવપક્ષનો વિજય થયો હતો. ઉલ્લેખનીય છે કે, સવારે 8 વાગ્યે કન્યા વિઘાલયમાં મતગણતરી યોજાઈ હતી. ગઢડા સ્વામિનારાયણ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં 6 બેઠકમાં 12 ઉમેદવારો મેદાને છે ત્યારે ચૂંટણીના અંતે 75 ટકા જેટલું મતદાન નોંધાયું હતું.
ધૂન બોલાવીને વિજયના કરાયા વધામણા
13 વર્ષ બાદ યોજાયેલ ગઢડા સ્વામિનારાયણ મંદિરની ચૂંટણીના આજરોજ પરિણામ જાહેર થતાં દેવપક્ષના એક સ્વામીજીએ સ્વામિનારાયણ ભગવાનની ધૂન બોલાવી હતી અને વિકાસ થશે તેવી વાત પણ ઉચ્ચારી હતી.
પોલીસે લોકોના ટોળા વિખેરવા કર્યો લાઠીચાર્જ
બોટાદમાં ગઢડા મંદિરમાં ચૂંટણી વિવાદમાં ધરાઇ રહી છે. સામા કાંઠે આવેલ બુથ નંબર પાંચ બહાર લોકોના ટોળા ઉમટ્યા હતાં. પોલીસે લોકોના ટોળા વિખેરવા લાઠીચાર્જ કર્યો છે. તો થોડી વાર પહેલા ડમી મતદારની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
13 વર્ષથી ટેમ્પલ બોર્ડની ચૂંટણી હતી વિવાદમાં
ઉલ્લેખનીય છે કે, બોટાદ જિલ્લાના ગઢડા ગામે ઐતિહાસિક સવામિનારાયણ મંદિર આવેલું છે. જેમા દર ૫ વર્ષે ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાતી હોય છે પરંતુ મતદારોના નામ ચડાવવા અને કમી કરવાનો વિવાદ આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે ચાલતો હતો.
જે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો જેને લઈને 13 વર્ષથી ચૂંટણી બંધ હતી, પરંતુ આખરે ચુટણી કરવા સુપ્રીમ કોર્ટે આદેશ કરતા ચુટણી અધિકારીએ જાહેરનામું બહાર પાડ્યું હતું અને 5મી મે એ ચૂંટણી યોજાવાની છે.