મહિલાઓના માસિકધર્મને લઈને ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાય વિરોધમાં આવી રહ્યો છે. ભુજના સાધુના વિવાદીત નિવેદન પગલે ઘમાસાણ થયુ હતુ જેમાં હવે વડતાલ અને ગઢડાના સ્વામીઓએ પણ ઝુકાવ્યુ છે. શરમજનક ઘટનાને વધુ સમર્થન આપીને ધર્મ અને મહિલાઓ વચ્ચે એક વર્ગવિગ્રહ જેવી સ્થિતિનું નિર્માણ કરી રહ્યા હોવાની ચર્ચા થઈ રહી છે.
માસિક ધર્મ પર સ્વામી કૃષ્ણ સ્વરૂપના નિવેદનનો મામલો
માસિક ધર્મ હિન્દુ ધર્મનું એક આચાર છે. માસિક ધર્મ પરંપરાગત રીતે પાળવો જોઇએ. ભૂજ મંદિર મુદ્દે જાણી જોઇને વિવાદ ઉભો કરાયો છે. મંદિર અને સંપ્રદાયને બદનામ કરવાનું ષડયંત્ર છે. સાધુ સમાજ અમે ભુજની સાથે છીએ. અમારૂં ભુજના સ્વામીને સમર્થન છે.
વડતાલના સ્વામીઓએ સમર્થનમાં વીડિયો જાહેર કર્યો
સત્સંગ મહાસભાના અધ્યક્ષ નૌતમ સ્વામીએ વીડિયો જાહેર કર્યો છે. નૌતમ સ્વામીએ સંતો સાથે એક વીડિયો જાહેર કર્યો છે. સ્વામિનારાયણ ભગવાને લખેલા શિક્ષાપત્રીનો હવાલો આપ્યો છે. માસિકધર્મ વિવાદમાં ખુલ્લું સમર્થન કરતા વિવાદ વધુ વકર્યો છે.
શું છે મામલો?
ભુજની સહજાનંદ કોલેજમાં વિવાદનો મામલો કંઈક એવો છે કે, આ સંસ્થામાં 68 વિદ્યાર્થીનીઓને નિર્વસ્ત્ર કરીને તે માસિકધર્મમાં છે કે નહીં તેની તપાસ કરાઈ હતી. વળી આ તમામ વિદ્યાર્થીનીઓ સાથે પિરિયડસ દરમિયાન અછૂત જેવુ વર્તન થતુ હતુ. આ મામલે ભુજના જ સ્વામિનારાયણના સાધુએ વિવાદીત નિવેદન આપ્યું હતુ.
શું હતુ વિવાદીત નિવેદન
માસિકધર્મ મામલે કૃષ્ણસ્વરૂપ સ્વામીએ વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમનું કહેવું હતુ કે, રજસ્વાલા સ્ત્રી અગર રસોઈ બનાવી પતિને જમાડે તો બીજા જન્મમાં કુતરી બને. જ્યારે જે પુરૂષ આવા સ્ત્રીના હાથે બનાવેલું જમે તો તે બીજા જન્મે બળદ બને.
વડતાલના સ્વામીએ કૃષ્ણસ્વરૂપ સ્વામીને સમર્થન આપ્યુ
ભુજ મંદિરને પણ વડતાલ સ્વામિનારાયણ મંદિરનું સમર્થન મળતા હવે આ વિવાદ વધી શકે છે. વિવાદિત નિવેદન કરનાર કૃષ્ણસ્વરૂપ સ્વામીને વડતાલનું સમર્થન છે. આ અંગે ભુજમાં પણ રેલી કાઢવામાં આવી હતી.