બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સ્વામીએ સીઝ ફાયર થતાની સાથે જ કહ્યું હતું કે, પાકિસ્તાન પીઠમાં ઘા કરશે
Last Updated: 11:38 PM, 10 May 2025
86 કલાક સુધી ચાલેલા યુદ્ધ બાદ સાંજે 3 વાગ્યે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત ટ્રમ્પે કરી હતી. ત્યાર બાદ બંન્ને દેશો દ્વારા પણ યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી હતી. ભારતે પોતાનાં વચન અનુસાર તમામ પ્રકારની લશ્કરી ગતિવિધિ અટકાવી દીધી હતી. જો કે પાકિસ્તાન છે તેમાં કોણ નિર્ણય લે છે અને કોણ તેને માનશે તે માનવું મુશ્કેલ છે. પાકિસ્તાનની કથની અને કરણીમાં હંમેશા ફરક જ હોય છે. આ વાત ફરી એકવાર સાબિત થઇ છે. યુદ્ધવિરામની જાહેરાતનાં 3 કલાકમાં જ તેનું ઉલ્લંઘન પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
યુદ્ધ વિરામની જાહેરાત સમયે જ કરી આગાહી
જો કે યુદ્ધ વિરામની જાહેરાત થયાના કલાક બાદ જ સ્વામી યોગેશ્વરાનંદ ગીરીએ એક વીડિયો બનાવીને યુટ્યુબ પર અપલોડ કર્યો હતો. જેમાં તેમણે થંબનેલ બનાવી હતી કે, યુદ્ધ વિરામ કે ષડયંત્ર. આ વીડિયોમાં તેમણે દાવો કર્યો હતો કે, યુદ્ધવિરામ દ્વારા ભારતને ઉલ્લુ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન દ્વારા ભારતને ગુમરાહ કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાન ભારત પર પાછળથી ઘા કરશે તેવો તે બાબાઓ દાવો કર્યો હતો.
ADVERTISEMENT
વીડિયો અપલોડ થયો ત્યારે લોકોને નહોતો વિશ્વાસ
જો કે જ્યારે આ વીડિયો અપલોડ થયો ત્યારે લોકોને તેના પર વિશ્વાસ થયો નહોતો. લોકો કોમેન્ટ પણ કરવા લાગ્યા હતા કે, અમેરિકાની મધ્યસ્થી છે હવે પાકિસ્તાન કાંઇ પણ કરી શકે તેમ નથી. આવા અનેક દાવાઓ વચ્ચે યુદ્ધ વિરામના 4 કલાકમાં જ ફરી એકવાર યુદ્ધવિરામ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ફરી એકવાર સ્વામી યોગેશ્વરાનંદ ગીરીની ભવિષ્યવાણી સાચી પડી હતી. તેઓએ ભારત પાકિસ્તાન યુદ્ધ અંગે કરેલી આગાહી પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી હતી ત્યાં ફરી એકવાર તેમણી સીઝફાયર અંગેની ભવિષ્યવાણી સાચી ઠરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.