ભારત દેશ પોતાની સંસ્કૃતિ અને ઐતિહાસિક કિલ્લાઓ માટે જાણીતો છે. એવું જ રાજસ્થાનના ઉદેયપુરમાં એક કિલ્લો છે જેનું નામ છે કુંભરગઢ. આ કિલ્લો ચિતોડગઢ બાદ બીજી મહત્વની જગ્યા છે અને અહીંયા મહારાણા પ્રતાપનો જન્મ થયો હતો. આ કિલ્લાની ખાસિયતના કારણે આને રાજસ્થાનની બીજી સૌથી મોટી જગ્યાઓમાંથી એક માનવામાં આવે છે.
આ કિલ્લાનું નિર્માણ 15મી શતાબ્દીમાં મેવાડના રાજા કુંભાએ કરાવ્યું. એ સમયે અહીંયા મુગલોનો રાજા હતો અને બહારના આક્રમણોથી બચવા માટે એમને ચારે બાજુ મજબૂત દીવાલ બનાવવાની શરૂ કરી પરંતુ એ દિવારનું કામ ખતમ થતું જ નહતું.
દીવાલની સમસ્યા માટે રાજા કુંભાએ એક સંતની સામે રાખ્યો અને એમને જણાવ્યું કે કોઇ પણ વ્યક્તિની બલિ આપીને આ દીવાલનું કામ પૂરું થઇ શકે છે. એવામાં એ સંતે રાજાને પોતાની બલી આપવાની સલાહ આપી. સંતે રાજાને કહ્યું કે એ એક પહાડ પર ચઢશે અને ચાલતાં ચાલતાં એ જ્યાં પણ રોકાય ત્યાં એની બલિ ચઢાવવામાં આવે. સંતે એવું પણ કહ્યું કે જે જગ્યાએ એની બલિ ચઢાવવામાં આવે ત્યાં એક દેવીનું મંદિર બનાવવામાં આવે.
રાજાએ આવું જ કર્યું અને પહાડી પર 36 કિમી ચાલ્યા બાદ સંત જેવા થાકીને રોકાયા એ જ સમયે સંતની ગરદન શરીરથી અલગ કરી દેવામાં આવી. સંતનું માથું જ્યાં પડ્યું ત્યાં કિલ્લાની દિવાલનો મુખ્ય દ્વારા બનાવવામાં આવ્યો અને સંતનું શરીર જ્યાં પડ્યું ત્યાં કિલ્લાનો બીજો મુખ્ય દ્વાર છે.
આવું કર્યા બાદ દીવાલનું કામ પૂરું પણ થઇ ગયું અને આ મજબૂત દીવારના કારણે કોઇ પણ મુગલ શાસક એને જીતી શક્યો નથી.
આ દિવાલ 36 કિમી લાંબી છે અને એની પહોળાઇ એટલી વધારે છે કે 10 ઘોડાઓ એક જ સમયે એની પર દોડી શકે છે.