નવી દિલ્હીના જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી (JNU)માં ઉપદ્રવિઓએ સ્વામી વિવેકાનંદની મૂર્તિ સાથે છેડછાડ કરી છે. કેમ્પસમાં પ્રદર્શન વચ્ચે આરોપીઓએ તોડ-ફોડથી મન ન ભરાયુ, તો તેમણે ભાજપને નિશાન બનાવતા પ્રતિમા પર 'ભગવા જલેગા' અને કેટલીક આપત્તિજનક વાત લખી.
JNUમાં ઉપદ્રવિઓએ સ્વામી વિવેકાનંદની મૂર્તિ સાથે છેડછાડ કરી
ભાજપને નિશાન બનાવતા પ્રતિમા પર આપત્તિજનક લખાણ લખ્યું
જેએનયૂમાં હાલ ફી વધારાને લઇને પ્રદર્શન ચાલી રહ્યું છે
જોકે, આ કોણે લખી? એ હજુ સુધી જાણી શકાયું નથી. વિવેકાનંદની આ પ્રતિમા કેમ્પસના એડમિનિસ્ટ્રેટિવ બ્લોક (પ્રશાસનિક ખંડ) માં છે. જ્યા થોડાક જ દુર પંડિત નેહરૂની પણ મૂર્તિ સ્થાપિત છે.
સૂત્રો મુજબ, ઘટના બાદની તસવીર સુરક્ષા કર્મીએ લીધી હતી. આ ફોટો તપાસ દરમિયાન અને આરોપીઓને સજા આપવાના પૂરાવા તરીકે કામ આવશે.
નોંધનીય છે કે જેએનયૂમાં હાલ ફી વધારાને લઇને પ્રદર્શન ચાલી રહ્યું છે. વિદ્યાર્થીઓ વિવિધ ચાર્જ અને નિયમોમાં બદલાવ વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. નોંધનીય છે કે બુધવારે સાંજે ફીમાં વૃદ્ધિ આંશિક રૂપે પાછો લેવામાં આવ્યો છે.