પોતાના વિચારોથી સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કરનાર સ્વામી વિવેકાનંદનો આજે જન્મ દિવસ છે. સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863માં કોલકાતામાં થયો હતો. તેમના જન્મ દિવસને 'યુવા દિવસ' તરીકે પણ ઉજવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદ શ્રી રામકૃષ્ણ પરમહંસના શિષ્ય હતા.
સ્વામી વિવેકાનંદ એક સાચા દેશભક્ત હતા દેશ પ્રત્યેની તેમની ભાવનાથી કોઇ અજાણ નથી. લોકોની મદદ કરવામાં તેમણે ક્યારેય પિછેહઠ નથી કરી. લોકોની સેવા કરવી અને ઇશ્વરની પૂજા કરવી તેઓ બંને સરખુ માનતા હતા. સ્વામી વિવેકાનંદના વિચારોથી આજે પણ લાખો યુવાનો પ્રેપણા લે છે. સ્વામીજીએ ઘણા સુત્રો પણ આપ્યા છે.
સ્વામી વિવેકાનંદના વિચારો:
- જે સમયે જે કામનો સંકલ્પ કરો તે કામને એજ સમયે પૂર્ણ કરો નહીં તો લોકો તમારા પર વિશ્વાસ નહીં કરે.
- જીવનમાં વધારે સંબંધો હોવા જરૂરી નથી પણ જે સંબંધો છે તેમાં જીવન હોવુ વધારે જરૂરી છે.
- દિવસમાં એક વાર પોતાની જાત સાથે વાત કરો નહીં તો દુનિયાના સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે વાત કરવાનો અવસર જતો રહેશે.
- દિલ અને મગજ વચ્ચેના ટકરાવમાં હમેંશા દિલનું સાંભળો.
- ખુદને ક્યારેક કમજોર સમજવું સૌથી મોટું પાપ છે.
- ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.
- જે આગ આપણને ગરમી આપે છે તે આગ આપણો નાશ પણ કરી શકે છે.
સ્વામી વિવાકાનંદે એવી ઘણી વાતો કરી છે જેને અનુસરવાથી તમારૂ જીવન બદલાઇ શકે છે. આ ઉપરાંત સ્વામીજીની વાતોને અનુસરવાથી માણસ ક્યારેય ડિપ્રેશનમાં નથી આવતો દરેક પરિસ્થિમાં કેવી રીતે ચાલવું તે સ્વામીજીએ ખૂબ સારી રીતે સમજાવ્યું છે.