છોટાઉદેપુરના નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં નખલપુરા ગામે આવેલ ધોરણ 1થી 8 શાળાના આવેલી છે. આ શાળા દાતાઓના સહકારથી ચાલે છે. આસપાસના લોકો પણ તેઓને જરૂરિયાત મુજબની મદદ કરે છે. આ વિસ્તારના લોકો ખેતમજૂરી માટે સૌરાષ્ટ્ર તરફ જાય ત્યારે સાથે લઈને જતા હતા તેને જોઈને વેચાણ ભીલને સ્કૂલ ખોલવાનો વિચાર આવ્યો હતો.
સરકાર તરફથી એકપણ રૂપિયાની સહાય મળતી નથી
અનેક જગ્યાએથી અનાજ દાન આપવામાં આવે છે
કુમાર અને કન્યા માટે હોસ્ટેલ પણ બનાવામાં આવી
નખલપુરા ગામની સ્વામી વિવેકાનંદ ગુરૂકુલ વિદ્યાલય ધોરણ 1થી 8ની શાળા ચાલે છે. આ શાળાને સરકાર તરફથી એકપણ રૂપિયાની સહાય મળતી નથી. પરંતુ 2011-12થી આ રીતે નિરંતર પ્રગતિ કરતી રહી છે. 121થી વધારે બાળકો ત્યાં જ રહે છે અને અભ્યાસ કરે છે. આ શાળામાં શિક્ષકોનો સ્ટાફ પણ પૂર્ણ છે. ઓછા પગારમાં પોતાના સમાજના બાળકોના ભવિષ્યને ઉજ્વળ બનાવવા માટે સેવા આપે છે. જ્યારે શહેરોમાં વાલીઓ ઊંચી ફી આપીને પોતાના સંતાનોને આ અભ્યાસ કરાવે છે. આ વિધાર્થીઓને ભોજન માટે અનેક જગ્યાએથી અનાજદાન આપવામાં આવે છે જેમાથી તેઓને ભોજન આપવામાં આવે છે.
કુમાર અને કન્યા માટે હોસ્ટેલ પણ બનાવામાં આવી
નખલપુરા ગામે આવેલ શાળામાં દાતાનાઓની મદદથી કુમાર અને કન્યા માટે હોસ્ટેલ પણ બનાવામાં આવી છે. વિદ્યાર્થીઓ આજ કેમ્પસમાં રહીને અભ્યાસ કરી રહ્યા છે. આ ગરીબ વિદ્યાર્થીઓના માતા-પિતા ખેતમજૂરી માટે સૌરાષ્ટ્રમાં ગયા છે. આ બાળકોની ચિંતા અહીંયા વેચાણ ભીલ કરે છે.
સ્કૂલનું બિલ્ડીંગ કાચું છે
આ વિદ્યાર્થીઓ હાલમાં વાંસના બનાવલે કાચા મકાનમાં બેસીને અભ્યાસ કરે છે. મકાન ઉપર પતરાના સેડ જોવા મળે છે. સ્કૂલનું બિલ્ડીંગ કાચું છે એને પાકું બનાવવા મથામણ હાલમાં થઈ રહી છે. આદિવાસી વિસ્તારમાં બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને તેના માટે ખરેખર આ મંડળે માનવધર્મ નિભાવ્યો છે.