કોરોના વાયરસથી આખી દુનિયા મુશ્કેલીમાં મૂકાઈ છે ત્યારે કોરોના સંક્રમણથી બચવા માટે સૌથી જરૂરી છે કે તમે તમારી ઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરો. આયુષ મંત્રાલયની સાથે સાથે પીએમ મોદી અનેક વાર આ ઈમ્યૂન બૂસ્ટર ઉકાળા (કાઢો)નો લાભ જણાવી રહ્યા છે. આ ઉકાળો તમને ખાંસી, શરદી, તાવ જેવી સમસ્યાઓ પણ દૂર રાખશે.
કોરોના સામે રાહત આપે છે ઉકાળો (કાઢો)
ઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરશે આ ઉકાળો
સ્વામી રામદેવે આપી ઉકાળાની ખાસ રેસિપી
સ્વામી રામદેવના અનુસાર ઔષધિઓથી બનતો આ ઉકાળો તમને કોરોના વાયરસથી બચાવે છે અને આ સિવાય અન્ય બીમારીઓથી પણ બચાવશે. આ ઉકાળો બનાવવા માટે તમારે કોઈ સ્પેશ્યિલ ચીજોની જરૂર રહેશે નહીં. આ ઔષધીઓને તમે સરળતાથી બજારમાંથી ખરીદી શકો છો. તો જાણો કઈ રીતે તમે આ ઉકાળો યોગ્ય રીતે બનાવી શકો છો અને તેનો લાભ કોરોનામાં લઈ શકો છો.
ઈમ્યૂનિટી બૂસ્ટર ઉકાળો બનાવવાની સામગ્રી
1 ચમચી અશ્વગંધા
8-10 તુલસીના પાન
2-4 ગ્રામ તજ
1 ઈંચ આદુ
1 ઈંચ હળદર
ગિલોયની થોડી ડંડીઓ
કાળા મરી
1 લિટર પાણી
બનાવવાની રીત
સૌ પહેલાં ખલમાં અશ્વગંધા, ગિલોય, તુલસી, કાળા મરી, તજ, આદુ, હળદરને સારી રીતે કૂટી લો. હવે 1 લિટર પાણીમાં આ તમામ ચીજો મિક્સ કરો. તેને ધીમા ગેસે સારી રીતે ઉકાળો. જ્યારે પાણી 100થી 200 ગ્રામ થાય ત્યારે તેને ગાળી લો. હવે ગાળ્યા બાદ તેનું થોડા થોડા સમયે સેવન કરો. આ ઉકાળો તમને કોરોના સામે રાહત આપશે.