ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને જોરદાર ઝટકો લાગ્યો છે, એક તરફ હાઇલેવલ મીટિંગની વચ્ચે દિગ્ગજ નેતાએ છેડો ફાડ્યો છે.
ચૂંટણી પહેલા ભાજપને જોરદાર ઝટકો
દિગ્ગજ નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ છોડી પાર્ટી
રાજીનામું આપી સમાજવાદી પાર્ટીમાં જોડાયા
ભારતીય જનતા પાર્ટીને જોરદાર ઝટકો
ઉત્તર પ્રદેશના દિગ્ગજ નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ ભારતીય જતના પાર્ટી અને યોગી સરકારની કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે. આજે જ તેઓ અખિલેશ યાદવને મળવા પણ પહોંચ્યા અને સમાજવાદી પાર્ટીમાં તેઓ જોડાઈ પણ ગયા છે. સ્વામી પ્રસાદ મૌર્યનાં જવાથી ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે.
ટ્વિટર પર શેર કરી તસવીરો
મૌર્યએ રાજીનામાં પર ટ્વિટ કરીને કહ્યું કે દલિત, પછાત, ખેડૂત અને યુવાનો સાથે ખરાબ વર્તનનાં કારણે યોગી સરકારમાંથી રાજીનામું આપું છું.
सामाजिक न्याय और समता-समानता की लड़ाई लड़ने वाले लोकप्रिय नेता श्री स्वामी प्रसाद मौर्या जी एवं उनके साथ आने वाले अन्य सभी नेताओं, कार्यकर्ताओं और समर्थकों का सपा में ससम्मान हार्दिक स्वागत एवं अभिनंदन!
અખિલેશ યાદવે પણ સ્વામી પ્રસાદ મૌર્યની સાથે તસવીર શેર કરીને કહ્યું કે લૉકપ્રિય નેતા સ્વામી પ્રસાદનું પાર્ટીમાં સ્વાગત અને અભિનંદન છે, 2022માં મોટું પરિવર્તન આવશે.
दलितों, पिछड़ों, किसानों, बेरोजगार नौजवानों एवं छोटे-लघु एवं मध्यम श्रेणी के व्यापारियों की घोर उपेक्षात्मक रवैये के कारण उत्तर प्रदेश के योगी मंत्रिमंडल से इस्तीफा देता हूं। pic.twitter.com/ubw4oKMK7t
દીકરા માટે માંગી રહ્યા હતા ટિકિટ
નોંધનીય છે કે ઘણા દિવસથી સ્વામી પ્રસાદ મૌર્ય ભાજપથી નારાજ ચાલી રહ્યા હતા અને પોતાના દીકરા માટે ટિકિટ માંગી રહ્યા હતા. જોકે હવે તેમણે ભાજપ છોડી તેમના સમર્થનમાં ઘણા બધા ધારાસભ્યો ભાજપ છોડે તેવી સંભાવના છે.
દિલ્હીમાં તાબડતોબ બેઠક
બીજી તરફ આજે દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટીની મોટી બેઠક થઈ રહી છે. દિલ્હીમાં યુપીના કોર ગ્રૂપના નેતાઓ દ્વારા હાઇલેવલ બેઠક થઈ રહી છે જેમા અમિત શાહ અને યોગી આદિત્યનાથ સહિતનાં નેતાઓ હાજર છે. કેન્દ્રીય નેતાઓની હાજરીમાં યુપીમાં વિધાનસભા ચૂંટણીમાં ધારાસભ્યની ટિકિટ કોને કોને આપવી તેની ફાઇનલ લીસ્ટ તૈયાર કરવામાં આવી રહી છે.