બિગબોસ 10 ના કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલા સ્વામી ઓમનું નિધન થઇ ગયુ છે.
સ્વામી ઓમનું થયુ અવસાન
બિગબોસના બહુચર્ચિત કન્ટેસ્ટન્ટ
બાની જે પર ફેંક્યુ હતુ યુરિન
સ્વામી ઓમ છેલ્લા કેટલાક સમયથી બિમાર હતા. સ્વામીએ બુધવારે 3 ફેબ્રુઆરીએ અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા 2 મહિના પહેલા તે કોરોના પોઝીટીવ હતા અને બાદમાં તેમને એમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા. ત્યાંથી સાજા થઇને તે પોતાના ઘરે દિલ્હી આવી ગયા હતા પરંતુ શારીરિક કમજોરી અને અન્ય કેટલીક બિમારીઓના કારણે તેમનુ બુધવારે દેહાંત થઇ ગયુ છે.
સ્વામી ઓમ દિલ્હીના અંકુર વિહાર રોહીણી એરિયામાં રહેતા હતા. આજે તેમનો અંતિમ સંસ્કાર નિગમ બોધ ઘાટ પર કરવામાં આવ્યો હતો. લાંબી બિમારીથી લડ્યા બાદ બુધવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
બાની જે પર ફેંક્યુ હતુ યુરિન
બિગબોસ સિઝન 10ના સ્વામી ઓમ ખુબ ચર્ચિત કન્ટેસ્ટન્ટ રહ્યાં હતા. બિગબોસમાં જ પોતાની કો કન્ટેસ્ટન્ટ બાની જે પર તેમણે યુરિન ફેંક્યુ હતુ. જે બાદ ખુદ બિગબોસે જ તેમને એલિમિનેટ કરી દીધા હતા. બિગબોસ 10 બાદ તે પોતાના નિવેદનોને લઇને ખુબ જ ચર્ચામાં રહ્યા હતા.
પ્રિયંકા જગ્ગાને કહેતા હતા ધર્મપુત્રી
એક ઇન્ટરવ્યૂમાં સ્વામીએ અજીબ નિવેદન આપ્યુ હતુ. તેણે કહ્યું કે પ્રિયંકા જગ્ગા તેની ધર્મપુત્રી છે. તે કહેતા હતા કે, મારી ધર્મપુત્રી પ્રિયંકા જગ્ગા મારી ફેવરિટ કન્ટેસ્ટન્ટ છે. છોકરીઓમાં તે એક્સ્ટ્રા ઓર્ડીનરી છે.