આજે જ તત્વપ્રિયાએ પોતાના એફ બી પેજ ઉપર વીડિયો મૂકીને 40 પોલીસ દ્વારા હેરાનગતી થતી હોવાની વાત ઉચ્ચારી છે ત્યારે હવે સ્વામી નિત્યાન્દનો વીડિયો સામે આવતા ખળભળાટ મચી ગયો છે સ્વામી વીડિયોમાં ધમકી ભરી ભાષાનો વપરાશ કરી રહ્યો છે.
મારી વિરુદ્ધમાં ષડયંત્ર ચાલી રહ્યું છે
મીડીયા અને સોશિયલ મીડિયા પર વીરોધી મારા વીરુધ્ધમાં કેમ્પેઈન ચલાવી રહ્યા
ઇન્વેસ્ટીગેશનને નામે લોકો મારા ભક્તોને મારાથી દૂર કરવા માંગે છે
નિત્યાનંદ આશ્રમના વિવાદનો મામલો દિવસેને દિવસે તૂલ પકડી રહ્યો છે. નિત્યાનંદનો વીડિયો સામે આવતા ભક્તોમાં સળવળાટ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં નિત્યાનંદ ધમકીની ભાષા ઉચ્ચારી રહ્યો છે. નિત્યાનંદે ભક્તોને ભડકાવ્યા છે. નિત્યાનંદનું કહેવું છે કે, જો ગુજરાતમાં મારા અનુયાયીઓને કંઈ થયુ તો જોવા જેવી થશે.
શું કહ્યુ નિત્યાનંદે
મારી વિરુદ્ધમાં ષડયંત્ર ચાલી રહ્યું છે. મીડીયા અને સોશિયલ મીડિયા પર વીરોધી મારા વીરુધ્ધમાં કેમ્પેઈન ચલાવી રહ્યા છે. ઇન્વેસ્ટીગેશનને નામે લોકો મારા ભક્તોને મારાથી દૂર કરવા માંગે છે. હજુ તો તપાસ ચાલી રહી છે.
શું છે મામલો
તમિલનાડુથી એક પરિવારના ચારેય સંતાનો નિત્યાનંદ આશ્રમમાં લઈ આવવામાં આવતા માતા-પિતા અમદાવાદ દોડી આવ્યા હતા. જેમાં સગીર વયની બે દીકરીઓ આશ્રમમાંથી મળી આવી નહોત. 3 દીકરી અને એક દીકરામાંથી નાની દીકરી અને દીકરો તો પોલીસ અને ચાઈલ્ડ વેલફેરની મદદથી માતા-પિતાએ પરત મેળવ્યા પણ બીજી બે દીકરીઓનો અતોપતો ન મળતા. માતા-પિતાએ પોલીસનું શરણું લીધુ હતુ.