નિત્યાનંદ આશ્રમ વિવાદ થમવાનું નામ જ નથી લઇ રહ્યો અને દિવસેને દિવસે નવા નવા વળાંક સામે આવી રહ્યા છે ત્યારે હવે નિત્યાનંદ સ્વામીના અનુઆયીઓ દ્વારા અંધ બાળકોને ત્રીજી આંખથી જોતા કરી દેવાના પ્રયોગ કરાતા હતાં. અંધ બાળકો પર નિત્યાનંદ દ્વારા ઢોંગ કરતો હતો. ગુજરાતની કેટલીક અંધ શાળામાં પ્રયોગ ચાલતા હતાં. ઢોંગી નિત્યાનંદની એક પછી એક કરતુતના પુરાવા સામે આવી રહ્યા છે.
અનુયાયીઓ અંધ સ્કુલમાં ત્રીજી આંખના કરતા હતા પ્રયોગ
ત્રીજી આંખથી જોતા કરી દેવામાં આવશે તે પ્રકારનો પ્રયોગ
અમદાવાદના અંધજન મંડળમાં પણ તેણે પ્રયોગ કર્યા હતાં
અમદાવાદમાં અંધજન મંડળના 82 અંધ બાળકો પર નિત્યાનંદ સ્વામીના અનુયાયીઓ દ્વારા એક પ્રયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે વધુ એક વિદ્યાલયમાં આવો જ એક પ્રયોગ કરવામાં આવ્યો હતો. જે પ્રયોગમાં અંધ બાળકોને ત્રીજી આંખ હોવાનું કહી તેમના પર પ્રયોગ કરતા હતા. ત્રીજી આંખથી તેઓને જોતા કરી દેવાનો આ પ્રયોગ આશ્રમમાં કરતા હતા. ત્યારે વધુ કે સોલા વિસ્તારમાં આવેલી કે.એસ દેઢિયા મુકબધીર વિદ્યામંદિરના બાળકો પર નિત્ય નંદિતા વિદ્યામંદિરમાં જઈને પ્રયોગ કર્યો હોવાનું સામે છે.
એક પછી આશ્રમના ખુલાસા થઈ રહ્યા છે. થોડા સમય પહેલાં અંધ મંડળના બાળકો પર ત્રીજી આંખથી જોતા કરી દેવામાં આવશે તે પ્રકારનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. જોકે અંધજનમાં સંચાલકોને આ પ્રકારના પ્રયોગમાં શંકા ગઈ હતી.
ત્યારે ફેબ્રુઆરી મહિનામાં સોલા વિસ્તારમાં આવેલ કે.એસ દેઢિયા મુકબધીર વિદ્યામંદિરમાં નિત્ય નંદિતાએ મુલાકાત કરી હતી. આ વિદ્યામંદિરમાં નિત્ય નંદિતા મુકબધીર બાળકો પર પણ પ્રયોગ કર્યો હતો. વિદ્યામંદિરમાં સંસ્થામાં સંચાલકો પણ નિત્ય નંદિતા સાથે હજાર હતા અને વિદ્યામંદિરની સ્કૂલમાં કાર્યકમ કર્યો હતો. આ વિદ્યામંદિર જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેની નિત્ય નંદિતા તેના ફેસબુક એકાઉન્ટમાં પણ શેર કર્યા છે.