અમદાવાદના હિરાપુર સ્થિત DPS સ્કૂલની માન્યતા રદ કરી દેવામાં આવી છે. ત્યારે DPS સ્કૂલની માન્યતા રદ થતા સ્કૂલે બાળકોને રજા આપી દીધી છે. આજે DPS સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય બંધ રખાયું છે. જો કે આજે ધોરણ 10 અને 12ની મૌખિક પરીક્ષા હતા ત્યારે આ પરીક્ષા પણ રદ કરી દેવામાં આવી છે.
DPS સ્કૂલના વાલીઓ શાળા પર પહોંચ્યા
આજે DPS સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય બંધ
બાળકોના ભવિષ્યને લઈ વાલીઓ ચિંતિત
આજે DPS સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય બંધ
શહેરના હિરાપુર સ્થિત DPS સ્કૂલની માન્યતા રદ્દ કરવામાં આવતા બાળકોને રજા જાહેર કરી દેવામાં આવ્યું છે અને શૈક્ષણિક કાર્ય બંધ રખાયું છે. જ્યારે બીજી તરફ ધોરણ 10 અને 12ની મૌખિક પરીક્ષા હતી તે પણ રદ્દ કરી દેવામાં આવી છે જેના કારણે વાલીઓ ચિંતિત છે. જ્યારે બીજી તરફ સ્કૂલ પોતાના વાર્ષિક પ્રોગ્રામો પણ કેન્સલ કરી દીધા છે. જેને લઇને વાલીઓએ DPS સ્કૂલ પહોંચ્યાં છે.
સ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલનું ઘર બંધ જોવા મળ્યું
અમદાવાદના હાથીજણના DPS સ્કૂલના વિવાદ મામલે VTV સ્કૂલના પૂર્વ પ્રિન્સિપલ અનિતા દુઆના ઘરે પહોંચ્યું હતું. ખોટા NOC પર સહી કરનાર અનિતા દુઆનું ઘર બંધ જોવા મળ્યું. સમગ્ર મામલો સામે આવતા પૂર્વ પ્રિન્સિપાલ હાલ સામે ન આવતા પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.
હાથીજણ બાદ બોપલ DPS પણ વિવાદમાં
અમદાવાદના હાથીજણ બાદ હવે બોપલમાં આવેલી DPS વિવાદમાં આવી છે. તંત્ર દ્વારા બોપલની DPS સ્કૂલમાં તપાસ કરવામાં આવશે. ગેરકાયદે બાંધકામ અને પાર્કિંગને લઇને સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે. આ મામલે શિક્ષણ વિભાગને અરજી પણ કરવામાં આવી છે. આ અગાઉ હાથીજણમાં આવેલી DPS સ્કૂલમાં વિવાદના કારણે માન્યતા રદ્દ કરવામાં આવી છે.
હાથીજણ DPSમાં અભ્યાસ કરતા બાળકોના ભાવિ પર પ્રશ્નાર્થ
અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલી DPS સ્કૂલની માન્યતા રદ કરવામાં આવી છે. નિત્યાનંદ આશ્રમના વિવાદના કારણે સ્કૂલની સામે કાર્યવાહી કરવામાં આવી છે. ખેડૂતની જમીન હોવા છતાં સ્કૂલ શરૂ કરવામાં આવી હતી. પૂર્વ પ્રિન્સિપાલે ખોટા સહી સિક્કા કરીને કાગળ રજૂ કરીને પરમિશન મેળવી હતી. ત્યારે હવે શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલની સામે કાર્યવાહી કરવામાં આવી છે. શિક્ષણ વિભાગે સ્કૂલની સામે કાર્યવાહી કરતા બાળકોના ભાવિ પર પ્રશ્નાર્થ છે. સ્કૂલની માન્યતા રદ થતા વાલીઓ શાળાના આચાર્ય સાથે મુલાકાત કરશે. બાળકોના ભવિષ્યને લઈને વાલીઓ દ્વારા આચાર્ય સાથે ચર્ચા કરવામાં આવશે.