અમદાવાદની DPS સ્કૂલની CBSE દ્વારા માન્યતા રદ્દ કરી દેવામાં આવી છે. આથી હાથીજણની DPS ઈસ્ટની માન્યતા રદ કરી દેવામાં આવી છે. ખોટા NOC રજૂ કરવાના મુદ્દે તેમજ જમીન લીઝ પર આપવા બાબતે માન્યતા રદ કરી દેવામાં આવી છે. CBSEએ આ માન્યતા રદ કરી દિધી છે. વિદ્યાર્થીઓને નવા સત્રથી અન્ય શાળામાં ખેસેડવામાં આવશે.
હાથીજણ DPS સ્કૂલની માન્યતા રદ્દ
CBSE બોર્ડ દ્વારા લેવાયો નિર્ણય
વિદ્યાર્થીઓને નવા સત્રથી અન્ય શાળામાં ખેસેડાશે
નિત્યાનંદ આશ્રમને જમીન લીજ મુદ્દે વિવાદ થયો હતો. જ્યાર બાદ અમદાવાદના DPS સ્કૂલની સામે ફરિયાદ થઈ હતી. બનાવટી ડોક્યમેન્ટ કેસમાં DPS સ્કૂલ સામે ફરિયાદ થઈ હતી. DPSના CEO મંજૂલા પૂજા શ્રોફ સહિત 3 લોકો સામે પોલીસ ફરિયાદ થઇ હતી. ત્યારે હવે હાથીજણ DPS સ્કૂલની માન્યતા રદ્દ કરવામાં આવી છે. આ મામલે CBSE બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ચાલુ વર્ષના વિદ્યાર્થીઓને નવા સત્રથી અન્ય શાળામાં ખેસેડવામાં આવશે
મહત્વનું છે કે, સ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ અનિતા દુઆ, કેલોરેક્સ ફાઉન્ડેશનના મંજૂલા શ્રોફ અને હિતેન વસંત સામે છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો હતો. DEOના અધિકારીઓએ વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં આ ત્રણેય સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદથી આ ત્રણેય આરોપીઓ ઘરેથી ફરાર થયા છે.