નિત્યાનંદ આશ્રમને જમીન લીજ મુદ્દે વિવાદ થયો હતો. જ્યાર બાદ અમદાવાદના DPS સ્કૂલની સામે ફરિયાદ થઈ હતી. બનાવટી ડોક્યમેન્ટ કેસમાં DPS સ્કૂલ સામે ફરિયાદ થઈ હતી. DPSના CEO મંજૂલા પૂજા શ્રોફ સહિત 3 લોકો સામે પોલીસ ફરિયાદને લઇને મંજુલા પુજા, સ્કૂલના ટ્રસ્ટી હિતેન વસંત અને પૂર્વ આચાર્ય અનિતા દુઆના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ત્યારે હાથીજણ DPS સ્કૂલની માન્યતા રદ્દ કરવામાં આવશે. આ મામલે CBSE બોર્ડ આવતીકાલે નિર્ણય લેશે.
હાથીજણ DPS સ્કૂલની માન્યતા થશે રદ
CBSE બોર્ડ દ્વારા આવતીકાલે લેવાશે નિર્ણય
અમદાવાદની DPS સ્કૂલ વિરુદ્વ ફરિયાદ દાખલ
CBSE બોર્ડ બે દિવસમાં DPSની માન્યતા રદ્દ કરવાને લઇને નિર્ણ લેશે. ચાલુ વર્ષ DPS સ્કૂલના વિધાર્થીઓની પરીક્ષા પૂર્ણ થતા અમલ થશે. નિત્યાનંદ આશ્રમને જમીન લીજ મુદ્દે વિવાદ થયો હતો. ગઈકાલે DPS સામે DEOના અધિકારીઓએ ફરિયાદ નોંધાઇ હતી.
ત્રણેય આરોપીઓ ઘરેથી ફરાર
પોલીસે મંજુલા પુજા, સ્કૂલના ટ્રસ્ટી હિતેન વસંત અને પૂર્વ આચાર્ય અનિતા દુઆ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધી હતી. આ ત્રણેય આરોપીઓ ઘરેથી ફરાર થયા છે. 2012માં જમીન N.A. થઈ હોવાના ખોટા દસ્તાવેજ આપીને મંજૂરી મેળવી હતી. ટ્રસ્ટના નામે જમીન N.A થઈ હોવાના ખોટા દસ્તાવેજ આપવામાં આવ્યા હતા. પૂર્વ આચાર્ય અનિતા દુઆએ NOC પર કાઉન્ટર સહી પણ કરી હોવાનું સામે આવ્યુ છે. ટ્રસ્ટી હિતેન વસંતે 2009માં જમીનની ખોટી વિગતો ભરી હતી અને સ્કૂલની મંજૂરી મેળવવા માટે ખોટા દસ્તાવેજો પણ રજૂ કર્યા હતા. ત્યારે હવે પોલીસે શિક્ષણ વિભાગની ફરિયાદ લઈને તપાસ શરૂ કરી છે. ફરિયાદ નોંધીને પોલીસે આરોપીઓને પકડવાની કાર્યવાહી શરૂ કરી છે.
કોણ છે મંજૂલા પૂજા શ્રોફ?
મંજૂલા પૂજા શ્રોફ અમદાવાદની DPS સ્કૂલ ગ્રુપની CEOઓ છે. DPS સ્કૂલ કેલોરેક્સ ગ્રુપની અંતર્ગત આવે છે. છેલ્લા કેટલાય સમયથી DPS નિત્યાનંદ આશ્રમને કારણે વિવાદમાં છે. મંજૂલા શ્રોફે જ નિત્યાનંદને આશ્રમ માટે જમીન આપી હોવાનું મનાય છે. મંજૂલા શ્રોફ પણ નિત્યાનંદના સમર્થક છે. મંજૂલા શ્રોફ પર ખોટી રીતે નિત્યાનંદ આશ્રમને જમીન આપવાનો આરોપ છે. મંજૂલા શ્રોફ ઘણુ સારું રાજકીય પીઠબળ ધરાવે છે. રાજકીય નેતાઓ સાથે પણ તેમની ઉઠક-બેઠક છે.