અમદાવાદના હાથીજણમાં આવેલા નિત્યાનંદ આશ્રમમાં યુવતી ગુમ થવાના મામલામાં રોજે રોજ નવા નવા ભેદ ખુલી રહ્યા છે ત્યારે પોલીસે માટે ખાસ SITની રચના કરી છે જેમાં મહિલાઓ પણ સામેલ છે. DPS સ્કુલની બસ અને કેમ્પસનો આશ્રમમાં થતી પ્રવૃત્તિઓમાં ઉપયોગ થતો હતો એટલુ જ નહીં પરંતુ આસપાસની સોસાયટીમાં પણ ફ્લેટ રખાયા હતા આ અંગે કડક તપાસ થઈ રહી છે.
કિશોરીના આરોપ મુદ્દે પણ થશે તપાસ
પોલીસે તપાસ માટે સ્પેશ્યલ સીટની રચના કરવા
આશ્રમને જગ્યા કેવી રીતે ફાળવી?
અમદાવાદના હાથીજણમાં આવેલા નિત્યાનંદ આશ્રમ યુવતી ગુમ થવાને મામલે પોલીસે 2 બાળકોને લઈ આશ્રમમાં તપાસ કરી હતી. ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પૂછપરછ કરવામાં આવી હતી પોલીસે આ અંગે સહેજ પણ ઢીલુ મુકવા તૈયાર નથી. વળી આશ્રમ સાથે શહેરના કેટલાક પ્રતિષ્ઠિત માછા સંકળાયેલા હોવાનું પણ સ્થાનિકો દ્વારા કહેવાઈ રહ્યુ છે.
કિશોરીના આરોપ મુદ્દે પણ થશે તપાસ
કિશોરીએ લગાવેલા આક્ષેપો મુદ્દે પૂછપરછ કરાઈ. આક્ષેપોને લઈ પોલીસે સ્થળ પર પંચનામુ કર્યું હતુ. આશ્રમની સાધ્વી-સાધુને સાથે રાખી ઘરમાં તપાસ કરી હતી.
પ્રિયાતત્વ-પ્રાણપ્રિયાની હાજરીમાં પુષ્પક સિટીમાં પણ તપાસ કરવામાં આવી હતી.
પોલીસે તપાસ માટે સ્પેશ્યલ સીટની રચના કરવા
પોલીસે તપાસ માટે SITની રચના કરી હતી. 4 Dysp, 2 PI, 2 PSI, 2 જમાદાર, 1 કોન્સ્ટેબલની ટીમ હાજર રહી હતી. SITમાં મહિલા અધિકારી પણ સામેલ રહેશે. પોલીસ હાલ પુરાવા એકત્ર કરી રહી છે.
આશ્રમે જગ્યા કેવી રીતે ફાળવી?
જાણ વિના સ્કૂલે આશ્રમને જગ્યા ફાળવી છે. DPS સ્કૂલ સંચાલકો-પ્રિન્સિપાલ સામે કાર્યવાહી થશે.
પુષ્પક સિટીમાં મકાન ભાડે આપવા સામે કાર્યવાહી
પુષ્પક સિટીમાં મકાન ભાડે આપનાર સામે પણ પોલીસ કાર્યવાહી થશે. 3 મકાન આપ્યાની પોલીસને જાણ નહોતી કરાઇ. અમન ઇન્ડિયા કોલોનીમાં પણ તપાસ થશે. સ્થાનિકોના આક્ષેપના પગલે તપાસ કરવામાં આવશે.