ગુજરાતમાં હાથીજણમાં હીરાપુર ખાતે આવેલા નિત્યાનંદના આશ્રમ મામલે છેલ્લા કેટલાક દિવસોથી નવા નવા ખુલાસા આવતા રહે છે ત્યારે આ આશ્રમમાં યુવતીઓ અને બાળકોને રાખવામાં આવ્યા હતા એટલુ જ નહીં પરંતુ અહીં રહેતા બાળકોના DPS માં એડમિશન પણ કરાવવામાં આવ્યા હતા ઓછુ હોય તેમ DPSની સ્કુલ બસમાં જ બધી હેરફેર થતી હતી. એવામાં આશ્રમની લાઈફ સ્ટાઈલ વિશે જાણવાનુ મન થાય તો એ જાણીને તમને ખુબ નવાઈ લાગશે કે, આશ્રમવાસીઓ એકદમ હાઈટેક છે.
આશ્રમવાસીઓ પોતાને કહે છે કૈલાસવાસી
નિત્યાનંદ ઈન્દ્રની જેમ ભરે છે સભા
યુવતીઓ સૌથી વધુ થાય છે ઘેલી
નિત્યાનંદ આશ્રમમાં રહેનારી યુવતીઓ તેમની સામે ઈન્દ્રની સભા ભરતી. એટલુ જ નહીં તમામ શિષ્યાઓ પોતાને કૈલાસવાલી કહે છે. તે નિત્યાનંદને ભગવાન શિવ કહે છે અને પોતાને કૈલાસવાસી. દરેક બાબાના અનુયાયીઓની જેમ જ નિત્યાનંદના અનુયાયી પણ કટ્ટર છે.
નિત્યાનંદ ખાસ કરીને બાળકોને ટાર્ગેટ બનાવે છે અને ધ્યાન કર્મ પુરાણોની વાતો કરીને ભરમાવે છે. પણ તે બીજા બાવાઓ કરતા એક સ્ટેપ આગળ છે કારણ કે તે નવી જનરેશનને સોશિયલ મીડિયા, અને અવનાવા ગેઝેટથી આકર્ષે છે. આ બાવો હાઈટેક છે.
આશ્રમમાં ગુજરાતી જમવાનું મળે છે. વળી વેજ જ પિરસાતુ હોવાની વાતનું પણ રટણ કરે છે. આ તમામ બાળકોને જમવામાં અનાજ સિવાય પણ કોઈ દ્વવ્ય અપાતુ હોવાની શંકા છે.