અમદાવાદના નિત્યાનંદ આશ્રમના વિવાદ મામલે VTV એક મોટો ખુલાસો લઈને આવ્યુ છે. આશ્રમમાં અભ્યાસના નામે લોકો પાસેથી દાન ઉઘરાવવામાં આવતુ હતુ. આશ્રમની સગીર બાળાઓને ખાસ નૃત્યની તાલીમ અપાતી હતી અને તેમના દ્વારા સ્ટેજ પર્ફોમન્સ અપાતા હતા.
નિત્યાનંદ આશ્રમ મુદ્દે ખુલાસો, આશ્રમમાં ચાલતી હતી પ્રવૃતિઓ
ડોનેશન મેળવવા માટે બાળકોનો ઉપયોગ
ઘણા રાજકારણીઓ સાથે હતી સાંઠગાંઠ
આશ્રમમાં સૌથી વધુ સગીર બાળકીઓ હતી. ડાન્સ દ્વારા યુવતીઓને તૈયાર કરવામાં આવતી હતી. પોલીસે આશ્રમમાં તપાસ કરીને બે બાળકીઓનો છોડાવી છે.
હજુ પણ આશ્રમમાંમ 38 જેટલા બાળકો છે
બાળકોને ડાન્સ કરાવીને લોકો પાસેથી રૂપિયા ઉઘરાવવાનો ટાર્ગેટ આપવામાં આવતો હતો. સોશિયલ મીડિયામાં ફોલોવર્સ વધારવા માટે સાધિકાઓને પણ ટાર્ગેટ આપવામાં આવતો હતો.
સુંદર સગીર યુવતીઓ દ્વારા રૂપિયા ઉઘરાવવાનો કારસો
રૂપાળી સગીરાઓને દાન મેળવવા માટેનું સાધન બનાવવાની લંપટ સાધુની નીતિ હતી. આખો માસ્ટર પ્લાન તૈયાર હતો જે મુજબ તે કામ કરી રહ્યો હતો. સુંદર યુવતીઓને 7 કરોડ સુધી રૂપિયા ઉઘરાવવાનો ટાર્ગેટ અપાયો હતો.
બે સાધિકારીઓની ધરપકડ થતા નિત્યાનંદ ગિન્નાયો
ગુજરાતની મોટા ભાગની સ્કૂલમાં પ્રવૃતિઓ કરવાનો પ્લાન હતો એટલુ જ નહીં પરંતુ DPS ના સંચાલિકા મંજુલા શ્રોફ પણ સેવિકા હોવાની આશંકા સેવાઈ રહી છે.
આશારામના નકશેકદમ પર હતો નિત્યાનંદ
આશારામની જેમ ગુજરાતમાં પોતાના આશ્રમો શરૂ કરવાનો નિત્યાનંદનો કારસો હતો જો કે હાલ તો તેના સપના ચકનાચૂર થતા તે બરોબરનો ગીન્નાયો છે. અગાઉ નિત્યાનંદ સેક્સ સીડી મામલે વિવાદમાં આવ્યો હતો. ઘણા રાજકારણીઓને પણ નિત્યાનંદે સાધ્યા હોવાનો મત પણ સેવાઈ રહ્યો છે.