નિત્યાનંદ આશ્રમ-DPS સ્કુલનું કનેક્શન આવ્યું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. જો કે આ મામલે DPS સ્કુલનું કહેવુ છે કે અમે તો યોગા ક્લાસિસ માટે જગ્યા ભાડે આપી છે અમારે આશ્રમ સાથે કોઈ લેવા દેવા નથી. જો આશ્રમ પર મુકેલા આરોપ સાબિત થશે તો અમે ભાડાપટ્ટાનો કરાર તોડી નાંખીશું.ત્યાના સ્થાનિકોને પણ સ્કુલમાં આશ્રમ ક્યારે શરૂ થઈ ગયો તે પણ નથી ખબર.
નિત્યાનંદ આશ્રમના વિવાદમાં DPS સ્કૂલનું કનેક્શન
અમે પ્રવૃત્તિથી અજાણ ઃ DPS
યોગ માટે જગ્યા ભાડે આપી છે
DPS સ્કુલ કેમ્પસમાં જ ચાલે છે આશ્રમ
DPS સ્કુલમાં કેમ્પસમાંથી જ આશ્રમનો હિસ્સો છે. નિત્યાનંદ આશ્રમના સાધુનું DPS સ્કુલમાં જ રહેઠાણ છે. હીરાપુર DPS સ્કુલ કેમ્પસમાં જ સાધુ સંતોનું રહેઠાણ રાખવામાં આવતા વિવાદ સર્જાયો છે.
બાળકને સાધુનો બંને એક જ જગ્યાએ
એક બાજુ બાળકો ભણે, બીજી બાજુ સાધુ રહે છે. અને તે પણ ભેદી અને ગેબી સાધુ જે નીતનવા દાવાઓ કરે છે. હરીપુરાની ડીપીએસ સ્કૂલ સામે ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
DPS ના પ્રિન્સિપાલ હિતેશ પુરીનું નિવેદન
આશ્રમ DPS સ્કુલના કેમ્પસમાં હોવાને મામલે DPS ના પ્રિન્સિપાલ હિતેશ પુરીએ નિવેદન આપીને જણાવ્યુ છે કે યોગા ક્લાસ માટે અમે જગ્યા ભાડે આપી છે અમારે આશ્રમની પ્રવૃત્તીઓ સાથે કોઈ લેવા દેવા નથી.
અમે જમીન લિઝ પર આપી છે. અમારે આશ્રમ સાથે કોઇ લેવા દેવા નથી. તેમનું કેમ્પસ અને જગ્યા અલગ છે. યોગા ક્લાસ શરૂ કરવા જગ્યા માંગી હતી. અમારી તમામ પ્રોસેસ નિયમ પ્રમાણે થઇ છે. અમે માત્રા મારી શાળાનુ ધ્યાન રાખુ છુ. 5 વર્ષમ માટે જગ્યા ભાડે આપી છે. જો આશ્રમ ઉપર આરોપ સાબિત થશે તો અમે કરાર તોડી નાખીશુ. આશ્રમમાં શુ ચાલે છે મને ખબર નથી.
નિત્યાનંદ આશ્રમ થી ગ્રામજનો અજાણ
ડીપીએસ માં આશ્રમ શરૂ થયા ની ગ્રામજનોને જાણકારી જ નથી. હીરાપુર ગામ પાસે આશ્રમ ચાલી રહ્યો હોવા છતાં ગ્રામજનોને આ અંગે સહેજ પણ જાણકારી નથી ચુપચાપ શાળામાં બધાની નજરોની બહાર આશ્રમ ચાલુ કરી દેવામાં આવ્યો હતો.