હાથીજણ વિસ્તારમાં આવેલા વિવાદિત સ્વામી નિત્યાનંદનાં યોગિની સર્વાજ્ઞપીઠમ્ આશ્રમના વિવાદના દરરોજ અનેક વળાંકો આવે છે. ગુમ થયેલ બંને યુવતીઓએ ફેસબુક પર લાઈવ કરી કોર્ટમાં હાજર થવા માટે શરતો મૂકી જ્યારે બીજી બાજુ પિતાએ બંને હાથ જોડી દીકરીઓને પરત આવવાની વિનંતી કરતાં તમામ શરતો માની છે. તો બીજી તરફ એવી વિગતો સામે આવી છે કે આશ્રમનાં સાધ્વી અને સાધકો દ્વારા બાળકોને વહેલી સવારે ઠંડું પાણી નાખીને ઉઠાડવામાં આવે છે લાકડીથી મારવામાં આવતાં હતાં.
લોપામુદ્રાએ ભારત પરત આવવા મૂકી છે શરત
લોપામુદ્રા ઉર્ફે તત્ત્વપ્રિયા અને નિત્યાનંદિતા એક સાથે ફેસબુક ઉપર સામે આવ્યાં
પોતાના પિતા વિરુદ્ધ આક્ષેપ
અમદાવાદ હાથીજણ નજીક આવેલા નિત્યાનંદ આશ્રમનો વિવાદ દિવસેને દિવસે નવો વળાંક લઇ રહ્યો છે નંદિતાના ગુમ થવાને લઈને શરૂ થયેલી તપાસ હવે બંને યુવતીઓ વિદેશ કેવી રીતે પહોંચી તે તરફ વળી છે. આજે લોપામુદ્રા ઉર્ફે તત્ત્વપ્રિયા અને નિત્યાનંદિતા એક સાથે ફેસબુક ઉપર સામે આવ્યાં અને ફરી એક વખત નિત્યાનંદને અને આશ્રમ વિશે સમર્થન આપતાં નજરે પડ્યાં પોતાના પિતા વિરુદ્ધ આક્ષેપ કરતાં જણાવ્યું કે આ પારિવારિક સમસ્યા છે.તેના પિતા નિત્યાનંદ સ્વામી વિરુદ્ધ અને હિન્દુત્વને ખતમ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે.
લોપામુદ્રાએ ભારત પરત આવવા મૂકી છે શરત
આ ઉપરાંત લોપામુદ્રાના એક વીડિયોમાં તો તેણે ઇન્ડિયા પરત આવવા માટે પાંચ શરત મૂકી રહી છે.જેમાં તે પોલીસ પ્રોટેક્શન માગે છે. જ્યારે કોર્ટમાં પણ પોલીસ પ્રોટેક્શન મળે અને બંને બહેનની ધરપકડ ન થાય અને પકડાયેલી બંને સાધ્વીને છોડવાની માગ કરી રહી છે. જનાર્દન શર્માએ આરોપ કર્યાે છે કે આશ્રમનાં સાધકો અને સાધ્વીઓ બાળકો ઊઠે નહીં તો તેમના ઉપર ઠંડું પાણી રેડતા હતા અને લાકડીથી માર
મારતા હતા.