વડતાલ સ્વામિનારાયણ મંદિરના કોઠારી ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રી સામે ગંભીર આક્ષેપો થયા છે. વેદાંતવલ્લભ સ્વામી નામના શિષ્યએ શોષણના આક્ષેપો લગાવ્યા છે. વેદાંતવલ્લભ સ્વામીએ ગુરુ ઘનશ્યામ સ્વામી વિરુદ્ધ પત્ર લખવામાં આવ્યો છે. કંડારી ગુરુકુળમાં કુકર્મ મામલે શિષ્યના નામે 32 પાનાનો પત્ર અને ઓડીયો વાયરલ થયો છે. VTV આ પત્ર અને ઓડીઓ ક્લીપની પુષ્ટિ કરતુ નથી.
વડતાલ સ્વામિનારાયણ મંદિરના કોઠારી ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રી સામે ગંભીર આક્ષેપો
પત્રમાં શિષ્યનું વર્ષ 2013થી વર્ષ 2020 સુધી શોષણ કર્યા હોવાના આક્ષેપો
વેદાંતવલ્લભ સ્વામી નામના શિષ્યએ શોષણના આક્ષેપો લગાવતા આ પત્રમાં લખ્યું કે, કંડારી ગુરુકુળ, કાશી, હરિદ્વાર અને વડતાલમાં વારંવાર કુકર્મ કરવામાં આવ્યું છે. પત્રમાં શિષ્યનું વર્ષ 2013થી વર્ષ 2020 સુધી શોષણ કર્યા હોવાના આક્ષેપો લગાવાયા છે. તો વેદાંતવલ્લભ સ્વામીએ દુષ્કર્મની ઓડિયો અને વીડિયો ઉતાર્યા હોવાનો લેટરમાં ઉલ્લેખ કર્યો છે.
ધનશ્યામ સ્વામી ભૂગર્ભમાં ઉતારી ગયા
વેદાંતવલ્લભ સ્વામીનો પત્ર વાયરલ થતા ધનશ્યામ સ્વામી ભૂગર્ભમાં ઉતારી ગયા છે. વેદાંતવલ્લભ સ્વામી પણ હાલ કોઈના સંપર્કમાં નથી. સ્વામી વિરુદ્ધ ઓડીઓ કલીપ અને પત્ર વાઇરલ થતા હરિભક્તોમાં રોષ જોવા મળ્યો છે.
આક્ષેપો બાદ વડતાલ સ્વામિનારાયણ મંદિર શંકાના ઘેરામાં
ઓડીયો કલીપ અને પત્ર વાયરલ થયા બાદ મંદિર ટ્રસ્ટ દ્વારા કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. વેદાંતવલ્લભ સ્વામીના પત્ર દ્વારા આક્ષેપો બાદ પણ ઘનશ્યામ સ્વામી વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. વેદાંતવલ્લભ સ્વામીના આક્ષેપો બાદ હરિભક્તોમાં રોષ જોવા મળ્યો છે.
રાકેશ પટેલને સ્થાનિક તેમજ અમેરિકામાં વસતા હરિભક્તોનું સમર્થન
આ મામલે રાકેશ પટેલ નામના હરિભક્તે ચકલાસી પોલીસ અને કલેકટર ખેડાને લેખિત રજુઆત કરી છે. વાઈરલ પત્ર અને ઓડીઓ કલીપ મુદ્દે યોગ્ય તપાસ કરવા કરી માંગ કરવામાં આવી છે. દેશ-વિદેશમાં રહેતા હરિભક્તો દ્વારા સમગ્ર મામલે કસુરવારો સામે પગલાં લેવા માંગ કરી છે. રાકેશ પટેલને સ્થાનિક તેમજ અમેરિકામાં વસતા હરિભક્તોએ સમર્થન કર્યું છે.