પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિન્મયાનંદ પર યૌન શોષણનો આરોપ લગાવનારી કાયદાની વિદ્યાર્થીનીને અલ્હાબાદ હાઈકોર્ટથી જામીન મળી ગયા છે. મહત્વનું છે કે વિદ્યાર્થીનીના માતા-પિતાએ અંદાજિત એક મહિનાથી અલ્હાબાદમાં ડેરો જમાવેલ છે. તેઓ વિદ્યાર્થીનીના જામીન માટે સતત વકીલોના સંપર્કમાં હતા.
ચિન્મયાનંદ પર યૌન શોષણનો આરોપ મામલો
વિદ્યાર્થીનીને અલ્હાબાદ હાઈકોર્ટથી જામીન મળ્યા
ચીફ જસ્ટિસની બેંચે ચિન્મયાનંદ મામલે સુનાવણી કરી
વિદ્યાર્થીની પર ચિન્મયાનંદ પાસે 5 કરોડ રૂપિયા જબરદસ્તી વસૂલ કરવાનો આરોપ છે. હાઈકોર્ટમાં પીડિતાએ જામીનની અરજી કરી હતી. ચીફ જસ્ટિસની બેંચે ચિન્મયાનંદ મામલે સુનાવણી કરી, જ્યારબાદ જામીન આપવામાં આવ્યા. ચિન્મયાનંદ પાસે 5 કરોડ રૂપિયા પડાવવાના આરોપમાં વિદ્યાર્થીની જેલમાં બંધ છે. સુપ્રીમ કોર્ટના આદેશ પર તપાસ કરી રહેલ એસઆઈટીની ટીમે ચાર્જશીટ દાખલ કરી દીધી છે.
24 ઓગસ્ટે સામે આવ્યો હતો વીડિયો
શાહજહાંપુરમાં સ્વામી શુકદેવાનંદ વિધિ મહાવિદ્યાલયમાં શિક્ષા લઇ રહેલા વિદ્યાર્થીનીએ 24 ઓગસ્ટે એક વીડિયો વાયરલ કરીને સ્વામી ચિન્મયાનંદ પર શારીરિક શોષણ અને કેટલીક વિદ્યાર્થીનીઓના જીવન બર્બાદ કરવાનો આરોપ લગાવ્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ વિદ્યાર્થીની ગુમ થઇ ગઇ હતી. બાદમાં પોલીસને રાજસ્થાનથી મળી હતી.
ચિન્મયાનંદ વિરૂદ્ધ દાખલ થયો હતો કેસ
આ મામલે 25 ઓગસ્ટે પીડિયાના પિતા તરફથી કોતવાલી શાહજહાંપુરમાં અપહરણ અને જાનથી મારી નાખવાની કલમોમાં સ્વામી ચિન્મયાનંદ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ સ્વામી ચિન્મયાનંદની 20 સપ્ટેમ્બરે ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારથી ચિન્મયાનંદ જેલમાં છે. તેમના જામીન પર ચુકાદો કોર્ટમાં સુરક્ષિત છે.