પ્રખર વક્તા, ચિંતક અને ઓશો પછીના ફિલોસોફર ગણાતા માધવપુર ઓશો આશ્રમના સ્વામી બ્રહ્મવેદાંતજી આજે બ્રહ્મલીન થયા છે. અત્યંત સાદગીથી જીવન વિતાવનાર અને પ્રભાવી વ્યક્તિત્વના ધણી સ્વામીજી હતાં. સ્વામીજી માટે તમામ સંન્યાસી સાથે બધું જ કામ કરતા હતાં. તેમના માટે સૌ સમાન હતાં. દરેક વિષય પર નિરંતર પ્રવચન કરી શકતા હતાં. તેમજ પરમ જ્ઞાની બ્રહ્મવેદાંતજી સાદગીનું ઉત્તમ ઉદાહરણ હતાં.