રાજકોટમાં સ્વાઈન ફ્લૂનો કહેર યથાવત છે. શહેરમાં સ્વાઈન ફ્લૂના કારણે વધુ એક મહિલાનુ મોત થયુ હોવાનું જાણવા મળ્યુ છે.
જામનગરની મહિલાનુ સારવાર દરમિયાન મોત થયુ છે. મહિલાનુ મોત થતા રાજકોટમાં ફ્લૂથી મોતનો આંકડો 26 એ પહોંચ્યો છે. હજી પણ શહેરમાં ફ્લૂના 13થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે.
નોંધનીય છે કે દિવસે ને દિવસે સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા શેહર-જિલ્લામાં રોગચાળો નાથવા માટે તંત્ર દ્વારા ઘનિષ્ટ પ્રયાસો હાથ ધરાઇ રહ્યા છે. છકાં રોગચાળો કાબુમાં આવતો નથી અને સ્વાઇન ફ્લૂ ડેન્ગ્યુ અને મેલેરિયાના દર્દીઓમાં સતત વધારો થઇ રહ્યો છે.