અરવલ્લી જીલ્લામાં આજે એક અનોખો યજ્ઞ યોજાયો હતો. રાજ્ય અને દેશમાં જાતિઓમાં ઉભી થયેલી વિસંગતાને દુર કરવા માનવતાના દર્પણને મુખ્ય પૂજક સ્થાન પર રાખી જાતિવાદને સ્વાહા કરવા યજ્ઞ કરવામાં આવ્યો હતો.
દેશભરમાં રાજકીય નીતિઓની છાયામાં ઉભા થયેલા જાતિવાદના ભૂતે તમામ લોકોને ડરાવીને રાખ્યા છે ત્યારે ગરીબ થી માંડી અમીર સુધી જાતિવાદનો રાક્ષસ બધાને ભરખી રહ્યો છે.
ત્યારે અરવલ્લી જીલ્લામાં મોડાસામાં સહયોગ ચોકડી પાસે સામાજિક સમરસતા ગતિવિધિ પરિવાર ધ્વારા અનોખા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ ૨૭ જાતિઓના જોડકાઓને યજ્ઞમાં બેસાડી અરીસાને પૂજક સ્થાને રાખી જાતિવાદને સ્વાહા કરવા હોમ હવાન કરવામાં આવ્યું.
જાતિઓ વચ્ચે ઉભી થયેલી વૈમ્ન્સ્યાને તોડવા માટે મોડાસામાં જાતિવાદને સ્વાહા કરતા યજ્ઞના આયોજનનો મુખ ઉદ્દેશ્ય એકતા ઉદભવ કરવાનો છે.જ્યાં એક તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી ધ્વારા દેશને એક કરનાર સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળકાય મૂર્તિ ધ્વારા એકતાનો મેસેજ વિશ્વમાં આપવા જઈ રહ્યા છે ત્યારે મોડાસામાં સામાજિક સમરસતા ગતિવિધિ ધ્વારા અનોખા યજ્ઞનું આયોજન કરી ઉમદા કામ કરવામાં આવી રહ્યું છે.