લોકસભામાં અધ્યક્ષ ઓમ બિરલાની આગેવાનીમાં સંસદમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું, ભાજપના દિગ્ગજ મંત્રી અને સાસંદોએ સંસદમાં ઝાડૂ લગાવ્યું. હેમા માલિનીને લઇને અનુરાગ ઠાકુરએ ઝાડૂ લગાવીને સંસદ પરિસરને સાફ કર્યું. પરંતુ લોકોએ એની મજાક ઊડાવી હતી.
લોકસભા સ્પીકર ઓમ બિરલાની આગેવાનીમાં શનિવારે સંસદમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું છે. સંસદ પરિસરમાં હેમા માલિનીએ ઝાડૂ લગાવ્યું, પરંતુ લોકોને એનું આવી રીતે ઝાડુ લગાવવાનું પસંદ આવ્યું નથી. સોશિયલ મીડિયા પર એની મજાક ઊડાવવામાં આવી રહી છે. લોકો અલગ અલગ પ્રકારના મીમ્સ શેર કરી રહ્યા છે.
એક યૂઝરે પિકાચૂનો ફોટો શેર કરતા લખ્યું- જો બેમા માલિની ખરેખર ઝાડૂ લગાવશે તો સ્વચ્છ અભિયાન પૂરું ના થઇ જાય.
તો બીજા યૂઝરે રામાયણનો એક સીન શેર કરતાં લખ્યું- ઝાડૂ જોયા બાદ હેમા માલિનીનું આવું રિએક્શન હશે. ફોટો પર લખ્યું હતું- હે પ્રભુ આ કયું અસ્ત્ર છે.
એક યૂઝરે અક્ષય કુમારની ફિલ્મનો એક સીન શેર કરતાં લખ્યું ઓવર એક્ટિંગના 50 રૂપિયા કટ.
ફિલ્મ 2.0 નો એક સીન શેર કરતા એક યૂઝરે લખ્યું આ સાયન્સ પર આધારિક છે. એવા જ ઘણા પ્રકારના મીમ્સ શેર કરવામાં આવી રહ્યા છે.
જો કે બીજી બાજુ ભાજપના નેતાઓના આ સફાઇ અભિયાનને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફ્રેસના ઉપાધ્યક્ષ અમર અબ્દુલ્લાએ આડે હાથ લીધા, અમર અબ્દુલ્લાએ આ અભિયાન પર નિશાન સાધતા ટ્વિટ કર્યું. એમને લખ્યું સંસદ પરિસર દેશની સૌથી સાફ-સુધરી જગ્યા છે. એવામાં પણ જ્યારે સંસદ સત્ર જારી હોય, એવામાં સાસંદ શું સાફ કરી રહ્યા છે.
ઉપરાંત વધુમાં તેઓએ કહ્યું મેડમ ભવિષ્યમાં આ પ્રકારના કાર્યક્રમમાં ભાગ લેતા પહેલા એકલા ઝાડૂ લગાવવાની પ્રેક્ટિસ કરી લો. મથુરાને સ્વચ્છ બનાવવામાં આ ટેકનીક કામ આવશે નહીં.