શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ માઝા મૂકી છે ત્યારે સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલમાં ઇતરડીથી ફેલાતા કોંગો ફીવરના શંકાસ્પદ કેસમાં બહારગામના એક દર્દીનું આજે સવારે મોત થતાં મ્યુનિસિપલ આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ હતી.
જાણકાર સૂત્રો કહે છે કે ગાય, ભેંસ, ઘેટાં, બકરાં જેવા પશુઓની ઇતરડીથી કોંગો ફીવર રોગ થતો હોઇ ખાસ કરીને કચ્છમાં કોંગો ફીવરના દર્દીઓની સંખ્યા વધુ નોંધાઇ છે. મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગથી પરેશાન નાગરિકો આગામી વરસાદી માહોલના લીધે વધુ ને વધુ પરેશાનીમાં મુકાય તેવા અહેવાલની વચ્ચે એસવીપી હોસ્પિટલમાં બહારગામના એક દર્દીનું શંકાસ્પદ કોંગો ફીવરથી મોત થવાના સમાચારથી તંત્રમાં ખળભળાટ મચ્યો છે.
એક મળતાં અહેવાલ મુજબ એસવીપી હોસ્પિટલમાં બહારગામના એક વૃદ્ધાને કોંગો ફિવર થતાં સારવાર અર્થે લાવવામાં આવ્યાં હતા. જો કે કોંગો ફિવરના આ શંકાસ્પદ કેસમાં વૃદ્ધાનું મોત થતાં હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.
આ રોગ ગાય, ભેંસ, ઘેટાં, બકરાં જેવા પશુઓની ઇતરથીમાં ફેલાતો હોવાનું જાણકારો જણાવે છે. જ્યારે આ કેસોની વધુ સંખ્યા કચ્છમાં વધુ નોંધાઇ છે. આમ હાલમાં જ્યારે રાજ્યભરમાં ભારે વરસાદ બાદ મેલેરિયા, ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગથી પરેશાન નાગરિકો માટે અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં કોંગો ફિવરના દર્દીનું મોત થયું હોવાના અહેવાલ પરેશાનીમાં મુકાય તેવા છે.