પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાની સમસ્યા બતાવનાર મહિલાની સમસ્યાનું સમાધાન માત્ર 3 કલાકમાં થઇ ગયું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારના રોજ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરી હતી. આ વર્ચ્યુઅલ સંવાદમાં આગરાની પ્રીતિએ PM નરેન્દ્ર મોદીને કહ્યું કે તેમના પતિના પગમાં મુશ્કેલી છે અને તેમની એક સમસ્યા છે.
જેને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ઓફિસરને કહેશે કે તેમની સમસ્યાનું સમાધાન કરવામાં આવે.
પ્રીતિ આગરામાં ફળની દુકાન ચલાવે છે. લોકડાઉનની કારણે તેમનો ધંધો પડી ભાંગ્યો હતો. લોકડાઉનમાંથી બહાર નીકળવા માટે સ્વનિધિ યોજના હેઠળ 10,000 રૂપિયાની લોન લીધી અને એક વાર ફરીથી પોતાનો ધંધો શરુ કરી દીધો.
પીએમ મોદી સાથે વર્ચ્યુઅલ સંવાદમાં પ્રીતિએ જ્યારે પોતાની સમસ્યા તેમને જણાવી તો આ વાત સાંભળી જિલ્લાના DM, તહસીલદાર સહિત તમામ વરિષ્ઠ અધિકારીઓ પ્રીતિના ઘરે પહોંચી ગયા.
આગરા જિલ્લાના પ્રભુ એન સિંહે ટ્વિટ કરી કહ્યું કે પ્રીતિએ વર્ચ્યુઅલ સંવાદમાં કેટલીક સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો હતો, આ સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે જિલ્લાઅધિકારી આગરા તેમના ઘરે પહોંચ્યા, તેમની સમસ્યાઓને ચકાસી અને ત્યારબાદ તેનું નિરાકરણ કર્યું.
આમ પ્રીતિને પોતાની સમસ્યા સીધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બતાવીને તક મળી હતી, આ માટે પ્રીતિની ફરિયાદ પર તરત સુનાવણી થઇ અને માત્ર 3 કલાકમાં DM તેમના ઘરે પહોંચી ગયા.