બોલિવૂડ અભિનેતા રિતિક રોશનની એક્સ વાઇફ સુઝાન ખાનને લઈને મંગળવારે એક મીડિયા રિપોર્ટ દ્વારા ચોંકાવનારો સમાચાર સામે આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું હતું કે કોરોના વાયરસના વધતા સંક્રમણને કારણે મુંબઈમાં લાગેલાં 22 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધીના નાઈટ કર્ફ્યૂના ઉલ્લંઘનના આરોપમાં 34 લોકો સહિત રિતિક રોશનની એક્સ વાઈફ સુઝાન ખાન, સિંગર ગુરુ રંધાવા અને ક્રિકેટર સુરેશ રૈના પર કેસ દાખલ કરાયો હતો. જોકે હવે સુઝાન ખાને આ મામલે સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. આ તમામ સમાચારને ખોટાં ગણાવીને તેણે નારાજગી પણ વ્યક્ત કરી છે.
ક્લબમાં મોડી રાત સુધી પાર્ટી કરતાં ઝડપાયાં સુરેશ રૈના, સુઝાન ખાન સહિતનાં અનેક સેલેબ્સ
રિપોર્ટ મુજબ આ પાર્ટીમાં લગભગ 34 લોકો હતા
જોકે, હવે સુઝાન ખાને આ અંગે સ્પષ્ટતા કરીને નારાજગી વ્યક્ત કરી છે
સુઝાન ખાને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું- મારું નમ્ર સ્પષ્ટીકરણ- હું ગઈકાલે રાતે મારા એક નજીકના મિત્રની બર્થડે પાર્ટીમાં ગી હતી અને અમારામાંથી કેટલાક લોકો સહારના જેડબ્લ્યુ મેરીયોટમાં ડ્રેગન ફ્લાય ક્લબ પહોંચ્યા હતા. 2:30 વાગ્યે અધિકારી ક્લબમાં આવ્યા. જ્યારે ક્લબ મેનેજમેન્ટ અને અધિકારી બધું સંભાળી રહ્યાં હતા, એ જ સમયે ત્યાં હાજર બધાં મહેમાનોને 3 કલાક રાહ જોવાનું કહેવામાં આવ્યું. પછી અમને 6 વાગ્યે જવા દીધા અને પછી મીડિયામાં એવી ચર્ચા થવા લાગી કે અમારી ધરપકડ કરવામાં આવી છે. જે સંપૂર્ણપણે ખોટી અને બેજવાબદાર હતું.
સુઝાને આગળ લખ્યું - મને સમજાતું નથી કે અમને શા માટે પ્રતીક્ષા કરાવવામાં આવી અને અધિકારીઓ અને ક્લબ વચ્ચે શું વાંધો હતો. હું આ નિવેદનની મદદથી બધી બાબતોને સ્પષ્ટ કરી રહી છું. હું મુંબઈ પોલીસનો ખૂબ આદર કરું છું કે તેઓ અમને સુરક્ષિત રાખવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. તેમના વિના અમે મુંબકર્સ સુરક્ષિત ન રહી શકીએ.
મળતી માહિતી અનુસાર મુંબઇ એરપોર્ટ નજીક સ્થિત હોટલ મેરિઓટના ડ્રેગન ફ્લાય ક્લબ ઓફ ખાતે ચાલી રહી પાર્ટીમાં ગુરુ રંધાવા, બાદશાહ, સુઝાન ખાન પાર્ટીમાં સામેલ થયા હતા. બાતમી મળતાં મોડી રાત્રે મુંબઇ પોલીસે આ ક્લબ પર દરોડો પાડ્યો હતો. મુંબઈ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર રૈના સિવાય બાકીના સ્ટાર્સ ક્લબના પાછલા દરવાજામાંથી છટકી ગયા હતા. મુંબઈ પોલીસે કલમ 188 અને રોગચાળા અધિનિયમ હેઠળ કેસ નોંધ્યો છે.