અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીના ઈડન-Vમાં ફ્લેટમાં આજે સવારે આગ લાગ્યાની ઘટના સામે આવી હતી. ત્યાર બાદ પતિએ પત્નીની હત્યા કરીને ફ્લેટમાં આગ ચાંપી હોવાના પણ અહેવાલો મળી રહ્યા હતા. જોકે હવે આ સમગ્ર ઘટનામાં નવો વળાંક આવ્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઇજાગ્રસ્ત પતિએ દાવો કર્યો છે કે, નાસ્તો બનાવવા મામલે માથાકૂટ થઈ હતી જે બાદ પત્નીએ છરીથી હુમલો કર્યો હતો. જે બાદમાં પત્નીએ પોતાની જાતે જ ગળુ કાપીને ઘરને આગ ચાંપી હતી.
અમદાવાદના પોશ વિસ્તારમાં આગની ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ છે. આજે સવારે ગોદરેજ ગાર્ડન સિટીમાં ઈડન-Vમાં ફ્લેટના બ્લોકના ચોથા માળે અચાનક આગ લાગી હતી. સવારના સમયે V-405માં રેટ અનિલ વઘેલ અને તેમની પત્ની અનિતા બઘે વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયો હતો. જોકે આ દરમ્યાન અચાનક ઝઘડો ઉગ્ર બન્યા બાદ બંનેએ એક બીજા ઉપર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. જોકે હવે આ મામલે ઇજાગ્રસ્ત પતિનું મોટું નિવેદન સામે આવ્યું છે.
શું કહ્યું સિક્યુરિટી ગાર્ડે ?
સમગ્ર મામલે ફ્લેટના સિક્યુરિટી ગાર્ડને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, V બ્લોકમાં ચોથા માળે આગ લાગતા અમે અન્ય ગાર્ડ સાથે તાત્કાલિક દોડી ઉપર ગયા હતા. આમરે ત્યાં પહોંચીને જોયું તો, 405 નંબરમાં રહેતા અનિલ બઘેલ દરવાજો ખોલીને બહાર આવતા હતા અને તેમની પત્ની અંદર હતા. જોકે બંને પતિ-પત્ની ઈજાગ્રસ્ત હાલતમાં હતા. જે બાદમાં અમે બંનેને નીચે લાવ્યા હતા. જોકે સિક્યુરિટી ગાર્ડે પણ કહ્યું હતું કે, પતિ-પત્ની બંને ઘરમાં જ ઝઘડ્યા અને પછી આગ લાગી કે લગાડી તે ખબર નથી.
અમે સીડીઓથી નીચે ઉતર્યા અને......
આ તરફ અન્ય એક સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે, તેમના ઘરમાંથી ધુમાડો નીકળતા હું અને મારા પતિ અમે બંને બહાર નીકળ્યા હતા. જય જોયું તો ઘરમાંથી ધુમાડો જોવા મળ્યો હતો. જે બાદમાં અમે તરત જ અમે સીડીઓથી નીચે ઊતર્યા ત્યારે આગ લાગેલી જોવા મળી હતી. નીચે આવીને જોતા બેથી ત્રણ લોકો ઊભા હતા. ત્યારબાદ અમે સીધો પોલીસને ફોન કર્યો હતો કે, આ જગ્યાએ આગ લાગવાની ઘટના બની હતી. પાંચથી દસ મિનિટની અંદર અમને સામેથી ફાયર બ્રિગેડ માંથી ફોન આવ્યો કે, કઈ જગ્યાએ આગ લાગી છે ? જેથી અમે માહિતી આપતાએટલે પોલીસ અને ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
શું કહ્યું ફાયર અધિકારીએ ?
સમગ્ર મામલે ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે, અમને આગ લાગી હોવાનો કોલ મળતા અમારી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. અમારી ટીમે જોયું તો ગ્રાઉન્ડ ફ્લોર પર જ પતિ-પત્નીએ એક બીજાને છરીના ઘા માર્યા હોય તે રીતે પડ્યાં હતા. જોકે આ ઘટનામાં મહિલાનું મોત નિપજ્યું છે. જ્યારે પતિને સોલા સિવિલ હોસ્પિટમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
બાળકોનો થયો આબાદ બચાવ
ગોદરેજ ગાર્ડન સિટીના ઈડન-Vમાં ફ્લેટમાં આજે સવારે લાગેલી આગમાં પત્નિનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. આજે સવારના સમયે આ બનાવ બન્યો ત્યારે તેમના બંને બાળકો કે એક ધોરણ 6માં ભણતી પુત્રી અને ધોરણ 8માં ભણતો પુત્ર બંને શાળાએ ગયા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. જેથી બંને બાળકોનો આબડ બચાવ થયો હતો.
મૂળ ઉત્તરપ્રદેશના આગ્રાનો પરિવાર રહેવાસી
ગોદરેજ ગાર્ડન સિટીમાં ઇડન સોસાયટીમાં આગ અને મોત કેસમાં સામે આવ્યું છે કે, વર્ષ 2017થી પત્ની અનિતા અને 2 સંતાન સાથે ઇડન સોસાયટીમાં રહે છે. તેઓ મૂળઉત્તરપ્રદેશના આગ્રાના રહેવાસી છે. જોકે હવે સમગ્ર ઘટના બાદ પતિનું શંકાસ્પદ નિવેદન સામે આવ્યુ છે. મહત્વનું છે કે, પતિએ પત્નીએ પોતાનું ગળું ખુદ કાપ્યાનુ નિવેદન આપ્યુ છે.