વડોદરાઃ છેલ્લા ઘણા સમયથી સ્કૂલોના સંચાલકોની દાદાગીરી સામે આવી રહી છે. ત્યારે હવે વડોદરામાં અંબે પબ્લિક સ્કૂલના સંચાલકો વાલીઓ સામે ઝૂક્યા છે. સ્કૂલ દ્વારા 15 વિદ્યાર્થીઓને આપવામા આવેલા સસ્પેન્શન લેટર પાછા ખેચવામાં આવ્યા છે.
મહત્વનુ છે કે પુરી ફી નહી ભરનાર વિધાર્થીઓને સ્કૂલ દ્વારા સસ્પેન્ડ આપવામાં આવ્યા હતા. સ્કૂલે વિધાર્થીઓને સસ્પેન્ડ કર્યાના વાલીઓને પત્ર મોકલ્યા હતા. વડોદરાની અંબે પબ્લિક સ્કૂલે મનમાની ચલાવી હોવાનું સામે આવ્યુ હતું.
પુરી ફી નહીં ભરનાર વિધાર્થીઓને સ્કૂલ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સ્કૂલ દ્વારા વિધાર્થીઓને સસ્પેન્ડ કર્યાના વાલીઓને પત્ર મોકલ્યા હતા. જોકે સ્કૂલના સંચાલકોએ મનમાની ચલાવતા વાલીઓમાં ઉગ્ર રોષ ફેલાયો હતો.