ઉત્તર પ્રદેશ કોંગ્રેસમાંથી સસ્પેન્ડેડ કરાયેલા 10 નેતાઓને સોમવારે દાવો કર્યો છે કે પ્રદેશ પ્રભારી અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં તેમને નિશાન બનાવામાં આવ્યાં છે. મીડિયાની એક રિપોર્ટ અનુસાર આ નેતાઓએ ધમકી આપી છે કે જો પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી આ મામલામાં દખલ નહી કરે તો 'અસલી કોંગ્રેસ' ને 'નકલી કોંગ્રેસ' થી બચાવવા માટે પ્રદેશવ્યાપી આંદોલન છેડવામાં આવશે
'અસલી કોંગ્રેસ' ને 'નકલી કોંગ્રેસ' થી બચાવવા માટે પ્રદેશવ્યાપી આંદોલન છેડવામાં આવશે
.સસ્પેન્ડેડ કરાયેલા બધા નેતા ઘણા વરિષ્ઠ છે અને પાર્ટીમાં ત્રણથી પાંચ દાયકા જેટલો સમય પસાર કરી ચૂક્યાં છે. પાર્ટીમાંથી હાંકી કઢાયેલા આ નેતાઓએ પ્રિયંકા ગાંધીને રાજ્યના એકમોના નિર્ણયને લઇને અંધારામાં રાખવામાં આવ્યાં અથવા કોંગ્રેસ મહાસચિવને આ અંગે કોઇ ગેરસમજ થઇ છે.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અજય કુમાર લલ્લૂએ કહ્યું કે સસ્પેન્ડેડ કરવામાં આવેલા નેતાઓ હાઇ કમાન્ડના નિર્ણય વિરુધ્ધ જઇ રહ્યાં હતા. સસ્પેન્ડ કરાયેલા નેતાઓમાં એક સંતોષ સિંહ પાર્ટીની ટિકીટ પર સાસંદ પણ રહી ચૂક્યાં છે.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સાથેની બેઠકમાં કેટલાંક સભ્યોનું સૂચન હતું કે જૂના કોંગ્રેસીઓને નજરઅંદાજ કરવામાં આવી રહ્યાં છે અને તેમને કોઇ જવાબદારી સોંપવામાં આવી રહી નથી.