તૃણમૂલ કોંગ્રેસના સસ્પેન્ડેડ નેતા કુણાલ ઘોષે લગભગ 6 વર્ષ બાદ શનિવારે પાર્ટી પ્રમુખ મમતા બેનર્જી સાથે તેમના કાલીઘાટ સ્થિત નિવાસ સ્થાને મુલાકાત કરી છે.
કુણાલ ઘોષે આ મામલે કહ્યું, કે એક 'ખુબ જ સારી બેઠક ' હતી અને એમણે મમતા બેનર્જી સાથે ઘણા વિષયો પર ચર્ચા કરી. તૃમમૂળ કોંગ્રેસના પૂર્વ સાંસદે પાર્ટી નેતા અને બેનર્જીના ભત્રીજા અભિષેક સાથે પણ મુલાકાત કરી છે.
કુણાલ ઘોષે કહ્યું કે, ' છ વર્ષ બાદ મુખ્યમંત્રી સાથે મળવાનું સારું રહ્યું. આ એક સારી બેઠક હતી. અમે ઘણા વિષયો પર વાતચીત કરી'. એ પૂછવા પર કે શું બેઠકમાં પાર્ટીમાં તેમના ફરી કાર્ય કરવાની દિશામાં એક પગલું છે. તો એમણે કહ્યું કે, ' હું એ વિષય પર નથી જવા માંગતો, જોકે કેટલાક મુદ્દા પર પાર્ટી સાથે મારા કેટલાક મતભેદ હતા. મેં મારી પોલીટિકલ એફિલેએશનને બદલી નથી. '
ઘોષની નવેમ્બર 2013માં બિધાનગરના તત્કાલીન પોલીસ કમિશ્નર રાજીવ કુમારના નેતૃત્વમાં એક વિશેષ તપાસ કમિટીએ શારદા ચિટ ફંડ કૌભાંડ મામલે એ સમયે ધરપકડ કરવામાં આવી હતી. એ સમયે ઘોષ તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ હતા. એમને 2016માં જામીન મળ્યા હતા.