લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પક્ષો પોતાના પ્રચારમાં લાગ્યા છે ત્યારે સુરત કોંગ્રેસનો આંતરિક વિવાદ સામે આવ્યો છે. સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા સુરત જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ત્યારે શું છે કારણ?
સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જગદીશ પટેલે સુરત જિલ્લા કોંગ્રેસના મહામંત્રી સ્નેહલ શાહને સસ્પેન્ડ કર્યા છે. જેને લઈને કોંગ્રેસ કાર્યકરોમાં નિરાશા જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ સ્નેહલ શાહે પાર્ટીને લગતા મેસેજ જગદીશ પટેલની ઉપરવટ જઈને કર્યા હોવાનો આક્ષેપ સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જગદીશ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે.
જો કે સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જગદીશ પટેલ દ્વારા લેવાયેલા આ નિર્ણયને સ્નેહલ શાહે મનસ્વી ગણાવ્યો હતો. મહત્વનું છે કે, સ્નેહલ શાહ છેલ્લા પાંચ વર્ષથી સુરત જિલ્લા કોંગ્રેસના મહામંત્રી છે.
મળતી માહિતી અનુસાર, સ્નેહલ શાહે પ્રમુખ જગદીશ પટેલની મંજૂરી વિના ઉપરવટ જઇને મેસેજ કર્યા હોવાથી તેમને મહામંત્રીના હોદ્દા પરથી હટાવી દેવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસમાં ભડકો થયો છે. ત્યારે આ પ્રકારે તેમને સસ્પેન્ડ કરી દેવાતા સુરતના રાજકારણમાં ગરમાવો સર્જાયો છે અને કાર્યકરોમાં પણ રોષની લાગણી વ્યાપી છે.